Tuesday, May 24, 2011

સિંહમિત્રએ સિંહ, ગિરની પ્રકૃતિને ‘ભાવનાત્મક’ રીતે કચકડે કંડારી.

જૂનાગઢ, તા.૨૨
ગિરના જંગલમાં મૂક્તપણે વિહરતો સાવજ સામે આવી જાય તો ભલભલાની ફેં ફાટી જાય. પરંતુ એક એવા અનોખા સિંહમિત્ર છે કે, જેની સામે સાવજ આવતા જ તે ખુશથી ઝૂમી ઉઠે છે. દાયકાઓ સુધી સિંહની પ્રકૃતિ અને સ્વભાવનો અભ્યાસ કરીને ડાલામથ્થાને આત્મસાત કરનાર આ સિંહમિત્રને તેના અનુભવો અને નીચોડને કચકડે કંડાર્યો છે.
દાયકાઓ સુધી સાવજ સાથે દોસ્તી કર્યા બાદ
સિંહનું અગિયારમું
, શ્રાદ્ધ અને સિંહ ચાલીસા જેવી નવીનતાઓને આવરી લીધી !!

ગિરના કુદરતી વાતાવરણને અનોખી રીતે કચકડે મઢનાર સિંહમિત્ર રમેશભાઈ રાવલે ગિરના જંગલને અનોખી રીતે માણી અને જાણીને બાદમાં કચકડે કંડાર્યું છે. સિંહ રક્ષણ માટે વર્ષ ર૦૦૯ માં થયેલો લોક જાગૃતિ યજ્ઞા, ઉનામાં વર્ષ ર૦૦પ માં અને સીમરમાં વર્ષ ર૦૦૭ માં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા સિંહ પાછળ કરાયેલ અગિયારમાની શ્રાદ્ધની વિધિ, સિંહ અંગેની નૃત્ય નાટિકા અને સિંહ ચાલીસા જેવી અનોખી ઘટનાઓને રમેશભાઈએ કેમેરામાં કેદ કરી છે.
ફક્તને ફક્ત પોતાના શોખને લઈને સિંહ સાથે દોસ્તી કરનાર આ સિંહમિત્રએ ગિર જંગલની પ્રકૃતિને પણ તેમાં આવરી લીધી છે. દ્રોણેશ્વર તથા ટપકેશ્વર જેવી પ્રાચીન ધાર્મિક જગ્યાઓ તથા જંગલને લગતી અત્યાર સુધી સમાજ સમક્ષ ન આવેલી બાબતો તેમણે લોકોની સામે મૂકી છે. કોઈ પણ જાતની આર્થિક અપેક્ષા વગર કરેલી આ પ્રવૃત્તિમાં તેમણે સિંહોત્સવ અને સમસ્ત પ્રાણી કલ્યાણઅર્થે કરેલ યજ્ઞા પણ સમાવી લીધો છે. સાથે સાથે વૃક્ષોત્સવને પણ સ્થાન આપ્યું છે. ગિર અને સિંહને જાણવા માગતા જીજ્ઞાસુઓ માટે રમેશભાઈની આ પ્રવૃતિ ખરેખર ઉપયોગી સાબિત થઈ પડશે.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=292383

No comments: