Thursday, May 19, 2011

આફતનો સામનો કરવા સજ્જ સિંહનો મલક.


Source: Bhaskar News, Talala   |   Last Updated 4:22 AM [IST](10/05/2011)

પડકારો સામે બાથ ભીડવાની તૈયારી અને આફતોનો સમજદારી અને હિંમતથી સામનો કરનાર લોકોજ ગમે તેવી આફતો સામે ટકી શકે છે. જોકે આ વાક્ય સિંહના મલક જુનાગઢ જિલ્લાનાં તાલાલા અને માળિયાહાટીના તાલુકાના ૧૮ ગામનો લોકોએ સત્ય કરી બતાવ્યું છે. કેમ કે આ ગામના લોકો હવે ભુકંપ, વાવાઝોડું, પુર તથા જંગલમાં લાગતી આગના સમયે કેવા પગલાં લઈ સલામત રહી શકાય તે અંગે માર્ગદર્શન મેળવીને આફતો સામે ઝઝુમમવા સજ્જ છે.
તાલાલાનાં તાલુકાનાં ૧૫ અને માળિયા હાટીના તાલુકાનાં ૩ મળી કુલ ૧૮ ગામોની ભૌગોલિક પરિસ્થિતિથી તથા એક્ટીવ ફોલ્ટ લાઈનને લીધે ભુકંપ, નજીકમાં દરીયો હોવાથી વાવાઝોડા અને નજીકની હિરણ નદીને લઈને પુર તથા જંગલોને લીધે તેમાં લાગતી આગની આફતો વારંવાર ઉભી થતી હતી. આ વિસ્તારનાં ચિત્રોડ ગામમાં ગત વર્ષ દરમ્યાના સાડાત્રણસો કરતા વધુ ભુકંપના ઝટકા અનુભવાયા છે.
આ ગામોને આફતો સામે ટકવા સુસજ્જ કરવા માટે આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કની સ્વૈચ્છિક સંસ્થા ફોકસ ઈન્ડીયાની ટીમ દ્વારા સંભવીત જોખમોનો અભ્યાસ કરી સ્થાનિક લોકોને તેના માટે સુસજ્જ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી.
જેના માટે ફોકસ ઈન્ડીયાની ટીમે સમીર કારીઓની દોરવણી હેઠળ આ ગામોની પંચાયતો અને વડીલો-આગેવાનો સાથે ગ્રામ વિકાસ સમીતી બનાવી અને તેમના સહયોગથી દરેક ગામમાં આફતો સામે યુવક-યુવતિઓને સજ્જ કરવા કોમ્યુનીટી ઈમર્જન્સી રસ્પિનેન્સ ટીમ (સર્ટ) બનાવી.
સર્ટનાં સભ્યોને તમામ આફતોમાં પોતાની જાત સહિત અન્ય ગામલોકોનો બચાવ કેવી રીતે કરવો તેની સઘન તાલીમ આપવામાં આવી જેમાં જો આગ લાગે ત્યારે દોરડાની મદદથી આગમાં ફસાયેલી વ્યક્તિઓને કેવી રીતે બચાવવી, પુરના સમયે દોરડાનો ઉપયોગ કેવી રીતે કરી લોકોના જીવ બચાવવા, વાવાઝોડું આવે ત્યારે સલામત મકાનમાં રહેવું જ્યારે ભુકંપ વખતે સલામત ખુલ્લી જગ્યાએ ક્યા રસ્તે થઈને વહેલા પહોંચી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી.
વધુમાં સમીરભાઈએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દરેક ગામના નકશા બનાવ્યા છે. જેમાં ભુકંપ વખતે સૌથી સલામત સ્થળ કર્યું તેની દરેકને માહિતી અપાઈ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-people-are-ready-for-lion-2092201.html

No comments: