Saturday, May 21, 2011

તાલાલાના હડમતીયા(ગીર)માં સાવજોના ધામા : ચાર દિવસમાં બે ગાયોના મારણ.

તાલાલા : ર૦, મ
તાલાલાના હડમતીયા(ગીર)માં ઉનાળાની શરૂઆતથી જ બે સાવજ ગામની સીમમાં ધામા નાખીને બેઠા છે. આ સિંહો મારણ કરવા અવારનવાર ગામમાં પહોંચી જાય છે. ચાર દિવસ પહેલા સિંહોને ગાયનો શિકાર કર્યો હતો અને ગઈ કાલે ફરી ગામમાં આવી વધુ એક ગાયનો શિકાર કરતા ગ્રામજનો ભયભીત થઈ ગયા છે.
ભોજદે ગામમાં બે  દિવસ પહેલા ગામ વચ્ચે આવેલા વિપ્ર પરિવારના મકાનની દિવાલ કૂદી દીપડો વાછડીને ઈજા કરી નાસી ગયો હતો.
હડમતીયા (ગીર)ના પટેલ સમાજના હરદાસભાઈ ભંડેરીએ જણાવ્યું છે કે ગામની સીમમાં લાંબા સમયથી બે સિંહો ધામા નાખીને ફરે છે. ગામમાં આવી સિંહો રેઢીયાળ માલઢોરનો શિકાર કરી જાય છે. ચાર દિવસ પહેલા ગામમાં આવેલા સિંહોએ એક ગાયનો શિકાર કર્યો હતો. એ જ સિંહોએ ગઈ કાલે રાત્રે વધુ એક ગાયનું ગામમાં જ મારણ કર્યું હતું.
માવન વસાહત સુધી મારણ માટે વારંવાર આવતા સિંહો જોખમરૂપ બનવા લાગ્યા છે. તો ભોજદે ગામે બે દિવસ પહેલા જયરામ પંડયા નામના વિપ્ર પરિવારના ઘરની આઠ ફૂટ ઉચી દિવાલ કૂદી દીપડો વાછડીનું મારણ કરવા આવેલ પરંતુ લોકો જાગી જતા દીપડો વાછડીને ઈજા કરી ભાગી છૂટયો હતો.
ગીર પંથકના ગામોમાં પાણીની શોધમાં નિકળી પડતા સિંહો દીપડા જેવા હિંસક પ્રાણીઓ માનવ વસાહતથી કેટલા નજીક છે તેની તપાસ કરી હિંસક પ્રાણીઓને જંગલમાં મોકલી આપવા વન વિભાગ તાકીદે કાર્યવાહી કરે તેવી લોકોની ઉગ્ર માંગ છે.

Source:http://sandesh.com/sandesh_article.aspx?newsid=291872

No comments: