Saturday, May 21, 2011

સાવજોએ કોડીનાર પંથકમાં છ વર્ષ બાદ દેખા દીધી

Source: Manish Trivedi, Rajkot   |   Last Updated 2:44 PM [IST](19/05/2011)

કોડીનાર તાબેનાં દુદાળા ગામની સીમમાં અરશીભાઇ સામતભાઇ ચૌહાણની વાડીમાં ગઇ રાતથી સિંહ, સિંહણ અને તેનાં બે બચ્ચાએ ધામા નાંખ્યા છે. સિંહ પરિવારે અત્યાર સુધીમાં બે ગાય અને એક વાછરડીનું મારણ કર્યું છે.
છ વર્ષ બાદ ફરી સિંહ પરિવારે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોનાં જણાવ્યા મુજબ, છેલ્લે સિંહ પરિવાર આ વિસ્તારમાં ૨૦૦પમાં આવ્યા હતા. સિંહ પરિવારે વધુ એક વાર ધામા નાંખતા આ અંગે વન વિભાગને જાણ કરાઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-1362-2117177.html

No comments: