Tuesday, January 17, 2012

ઉલ્ટી દિશામાં દોડતી કાર અંગે તપાસ નહીં !


અમરેલી, તા.૯
ધારીના તુલસીશ્યામ નજીક છેલ્લા દસ દિવસથી ગુરૂત્વાકર્ષણના નિયમ વિરૂધ્ધ ઢાળ વાળા રોડ ઉપર ઉલ્ટી દિશામાં ચાલવા લાગતી હોવા અંગે અનેક લોકોએ અનુભુતિ કરી હોવા છતાં અને સરકારી તંત્રને જાણ હોવા છતાં આ બાબતે તપાસ માટે તંત્ર પાસે સમય નથી આનાથી લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ વ્યાપ્યો છે.
  • સરકારી તંત્ર પાસે તપાસ કરવાનો પણ સમય નથી
સૌરાષ્ટ્રભરમાં છેલ્લા છ માસથી નાના મોટા ભૂકંપના અનેક આંચકાઓ આવી રહ્યા છે. ધરતીના પેટાળમાં હલચલ થઈ રહી છે. શિયાળાની સીઝનમાં ચોમાસા જેવો માહોલ, કુદરતના નિયમ વિરૂધ્ધની ઘટનાઓ બની રહી છે, ત્યારે તુલસીશ્યામ નજીક ગુરૂત્વાકર્ષણના નિયમ વિરૂધ્ધ ઢાળવાળા રોડ ઉપર કાર ઉલ્ટી દિશામાં ચાલવાની ઘટનાએ પણ આ વિસ્તારમાં લોકોને અચંબામાં નાખી દીધા છે.
 આ ઘટના શાના કારણે બની રહી છે તે તપાસવા માટે તંત્ર પાસે સમય નથી. કરોડો રૂપિયાના ખર્ચે રાજયભરમાં સદભાવના મિશનના કાર્યક્રમોમાં વ્યસ્ત બનેલા વહીવટી તંત્ર પાસે લોકોને સીધે સીધા સ્પર્શતા ગંભીર પ્રશ્નોના નીવેડા માટે સમય નથી. જેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=25839

No comments: