Saturday, January 7, 2012

૧૧ કુંજ પક્ષીનો શિકાર કરનારા પાંચ મુસ્લિમ શખ્સોની ધરપકડ.


કોડીનાર તા.૫:
વિદેશથી અહીંના વેલણના દરિયાકિનારે આવેલા યાયાવર ૧૧ કુંજ પક્ષીઓનો શિકાર કરવામાં સંડોવાયેલા અને પોલીસને જોઈ નવા નકોર બાઈકો છોડીને નાસી છુટેલા છ પૈકી પાંચ શખ્સોને આજે પોલીસે પકડી લીધા હતાં. જયારે એક નાસી છુટવામાં સફળ થયો હતો. પકડાયેલા તમામ શિકારી શખ્સો મુસ્લિમ છે. આવતીકાલે આ બધાને અદાલતમાં વનવિભાગ રજુ કરશે અને તપાસ માટે રિમાન્ડ માંગશે.
  • એક શખ્સ હજૂ ફરાર : કાલે અદાલતમાં રજુ કરી રિમાન્ડ માંગવામાં આવશે
ગત તા.૩૧મીએ સ્થાનિક પોલીસ અધિકારીઓએ દરિયા વિસ્તારમાં જઈ શિકારના ઈરાદે આવેલા શખ્સોને પડકારતા છ શખ્સો નવા બાઈક છોડીને મુઠ્ઠીઓ વાળીને નાસી છુટયા હતા. કોડીનાર પોલીસે શિકાર બનેલા ૧૧ કુંજ પક્ષીઓના મૃતદેહ વનવિભાગને સોંપ્યા હતા. બાદમાં જામવાળા રેન્જના એસીએફ ડો.અંજુમન શર્માએ તપાસ હાથ ધરી હતી. તપાસના ધમધમાટ દરમિયાન આજે શિકાર કરનારા આરોપીઓને જાલેશ્વર નજીકથી પકડી પાડયા હતા.
જુમાં સલીમ નુરા ભેંસાનીયા, ગફુર સુલેમાન , અસલમ સુલેમાન, યુસુફ સુલેમાન, તમામ જાલેશ્વરનો સમાવેશ થાય છે. જ્યારે ફિરોઝ હુશેન ઢાકી ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ ચાલુ કરાઈ છે. આ બધાને આવતીકાલ અદાલતમાં રજૂ કરવામાં આવશે. બનાવ અંગે આરએફઓ પી. પુરૂષોત્તમ અને ફોરેસ્ટર એમ.એમ. ભરવાડ તપાસ ચલાવી રહ્યા છે.
શિકારીઓ કેવી રીતે શિકાર કરતા હતા ?
કોડીનાર : જામવાળા રેન્જના એસીએફ ડો.અંજુમન શર્માએ જણાવ્યું હતું કે, શિકારીઓ પતંગ આકારની બે જાળો દરિયા કિનારે રાખે છે. જાળ વચ્ચે અંતર રાખી તાર વડે વચ્ચેની જાળ બાંધી દે છે. પક્ષીઓ પાણીમાં રહેલી જાળમાં બેસે એટલે બન્ને બાજુથી પતંગની જાળો તારથી તેને હવામાં ખેંચી એ સાથે જ વચ્ચેની જાળમાં ફસાઈ પક્ષી ઉપર આવે છે. તેને પકડીને શિકારીઓ મારી નાંખે છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=24780

No comments: