Sunday, January 15, 2012

બિમાર સિંહનું સરઘસ કાઢતા અધિકારીઓ સામે પગલા લો.

Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:09 AM [IST](09/01/2012)
- ગિરનેચર યુથ ક્લબે વન અને પર્યાવરણ મંત્રીને પત્ર પાઠવ્યો
ખાંભામાં વનતંત્ર દ્રારા આજે બિમાર સિંહને સરઘસના રૂપમાં બજારમાં ફેરવવાનું કૃત્ય આચરાતા ગીર નેચર યુથ ક્લબે તેનો ઉગ્ર વિરોધ કરી વન અને પર્યાવરણ મંત્રીને પત્ર પાઠવી આ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા માંગણી કરી છે.
ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા તથા રાજુલાના માહિતી અધિકાર નાગરિક મંડળના પ્રમુખ વિનોદભાઇ પરમારે આજે વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલને ફેકસ દ્રારા આ અંગે રજુઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે રાજુલામાં સવારે દસેક વાગ્યે બિમાર અને લાચાર સિંહનું ફોરેસ્ટ કચેરીથી મેઇન બજાર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું. આશરે બે હજાર માણસોના ટોળાએ ચીચીયારીઓ બોલાવી આ લાચાર અને બિમાર સિંહ માટે ત્રાસદાયક વાતાવરણ ઉભુ કરી દીધુ હતું.
આ સિંહ જાણે મનોરંજનનું સાધન હોય તેમ આરએફઓ મોર તથા સ્ટાફે ત્રાસદાયક રીતે તેને શહેરમાં ફેરવ્યો હતો. આ ધ્રુણાસ્પદ ઘટના અંગે તાત્કાલિક તપાસ કરી ફરી કોઇ વન્ય પ્રાણી સાથે આવુ ન બને તે માટે જવાબદારો સામે કડક પગલા લેવા બંને સંસ્થાએ માંગ ઉઠાવી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-take-steps-against-illness-lion-circus-uotside-people-2727282.html

No comments: