Saturday, January 7, 2012

વન વિભાગે ૩૬ લાખના ખર્ચે વાવેલા વૃક્ષોમાંથી ૯પ ટકા વૃક્ષો ઉગ્યા નથી.


પોરબંદર તા.ર૭
પોરબંદરના વન વિભાગ દ્વારા છેલ્લા ૩ વર્ષમાં રૂ.૩૬ લાખના ખર્ચે વાવેતર કરાયેલા અઢી લાખ જેટલા વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો જીવંત છે તેની કોઈ જ માહિતી વન વિભાગ પાસે નથી. વન વિભાગ પાસે આ અંગે માહિતી માંગનાર એડવોકેટ અને આર.ટી.આઈ એકટિવિસ્ટે આક્ષેપ કરી મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે કે, વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલ આ વૃક્ષોમાંથી ૯પ ટકા વૃક્ષો નાશ પામ્યા છે.
  • ત્રણ વર્ષમાં વાવેતર કરાયેલા ર,૬૮,૪પ૭ વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો જીવંત છે ?
પોરબંદરના આર.ટી.આઈ એકટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ પોરબંદર વન વિભાગ પાસે છેલ્લા ૪ વર્ષમાં વન વિભાગે વાવેલા વૃક્ષો અંગે અને આ વૃક્ષોના વાવેતર પાછળ થયેલા ખર્ચ અંગે તથા હાલ આ વાવેતર કરાયેલા વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો હયાત છે ? તે અંગે માહિતી માંગી હતી.
જે માહિતીના જવાબમાં વન વિભાગે ભનુભાઈને જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા રૂ.૩પ લાખ ૭૪ હજાર ૧૮૩ ના ખર્ચથી કુલ ર,૬૮,૪પ૭ રોપાનું વાવેતર કર્યુ હતું. અને હાલ આ રોપામાંથી કેટલા રોપાઓ જીવંત છે તેની માહિતી કે, તેની કોઈ ટકાવારી વન વિભાગ પાસે ઉપલબ્ધ નથી તેવો જવાબ આપતા સરકારી પૈસાનો ધુમાડો કર્યા બાદ આ ખર્ચ કરાયેલા રૂપિયાની સરકારી બાબુઓ દ્વારા કોઈ જ ખેવના નહી રખાતી હોવાનો ભનુભાઈએ આક્ષેપ કર્યો હતો. ભનુભાઈએ વધુમાં કહ્યું હતું કે, તેમની પાસે પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ વૃક્ષોમાંથી ૯પ ટકા વૃક્ષો નાશ પામ્યા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=22099

No comments: