Tuesday, January 17, 2012

ખંભાળિયા નજીક દીપડાએ કયું વાછરડાનું મારણ.

Source: Bhaskar News, Khambhalia   |   Last Updated 12:57 AM [IST](17/01/2012)
- દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને રજૂઆત
ખંભાળિયા તાલુકાના ધરમપુર વિસ્તારમાં આવેલ કડિયારવાડી વિસ્તારમાં એક સતવારા ખેડૂતની વાડીમાં ગત રાત્રે દીપડાએ દેખા દીધી હોવાનું અને નજીકમાં જ એકાદ વાછરડીનું મારણ કર્યાનું બહાર આવેલ છે.
દીપડાએ દેખા દીધાના જાણ અહીંના સતવારા જ્ઞાતિના અગ્રણી હરીભાઇ નકુમને થતાં તેમણે તાત્કાલિક અહીંના ડીવાયએસપી રાવલ, વન વિભાગ જામનગરના અધિકારી કનેરીયા તેમજ ખંભાળિયાના જંગલ ખાતાના અધિકારીને જાણ કરી આ દીપડાને તાત્કાલિક ઝબ્બે કરવાની રજૂઆત કરતાં દીપડાના પગલાના નિશાન પર તગારા ઢાંકી દઇ તેના સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
થોડા દિવસો પહેલાં ખંભાળિયાના કોઠા વિસક્ષેત્રીની સીમમાં દીપડાની અવરજવરે ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. ત્યારે ધરમપુર વાડી વિસ્તારમાં લોકો ભયની લાગણી અનુભવી રહ્યા છે. ખંભાળિયા નજીક કોટા ગામની સીમમાં નદીની આસપાસ પહાડી એરીયાની કોતરો અને જંગલની ઝાડીઓમાં કદાચ દીપડો છુપાયો હોવાની આશંકા પણ જાણકારો સેવી રહ્યા છે. 
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-hunting-calf-near-khambhaliya-2755844.html 

No comments: