Saturday, January 7, 2012

લીલીયાના ક્રાંકચ નજીક બે સાવજોએ પાડાનું મારણ કર્યું.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:06 AM [IST](05/01/2012)
 - શેત્રુંજી નદીના વહરાના આરા વિસ્તારમાં બનેલી ઘટન
લીલીયા તાલુકાના ક્રાંકચમાં શેત્રુંજી નદીના વહરાના આરા વિસ્તારમાં આજે સાંજના સુમારે બે સાવજો આવી ચડયા હતા અને એક પાડાનું મારણ કરી મજિબાની માણી હતી. આ પંથકમાં સાવજોની સંખ્યા વધારે હોય ગામડાઓમાં અવારનવાર સાવજો આવી જઇ દુધાળા પશુઓનું મારણ કરે છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીલીયા તાલુકાના ક્રાંકચ ગામના વહરાના આરા વિસ્તારમાં આજે સાંજના સાતેક વાગ્યાના સુમારે બે ડાલામથ્થા સાવજો પોતાની ભુખ સંતોષવા શિકારની શોધમાં આવી ચડયા હતા. ત્યારે આ વિસ્તારમાં રામકુભાઇ બાબુભાઇ ખુમાણની માલિકીનો પાડો આંટા ફેરા મારતો હોય સાવજોની નજરે ચડતા બે સાવજો પાડા પર તુટી પડ્યાં હતાં.
સાવજોએ પાડાનું મારણ કરી નિરાંતે મજિબાની માણી હતી. મારણની આ ઘટના અંગે રામકુભાઇએ વનવિભાગને જાણ કરી હતી. સાવજોએ મારણ કર્યાના સમાચાર મળતા જ સિંહ પ્રેમીઓ સાવજના દર્શન કરવા આવી પહોંચ્યાં હતાં.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-lion-hunting-he-buffaloes-in-liliyas-krankach-2711945.html

No comments: