Saturday, January 7, 2012

રાજુલા નજીક ચાર સાવજોએ બે પશુઓનું મારણ કર્યું.


Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:49 AM [IST](07/01/2012)
- દુધાળા પશુઓનું મારણ થતાં માલધારીઓ પરેશાન
રાજુલા તાલુકાના ભચાદર અને રામપરા ગામે ગતરાત્રીના ચાર ડાલામથ્થા સાવજો આવી ચડયા હતા. ભચાદરમાં એક બળદનો અને રામપરામાં એક ધણખુટનું મારણ કરી મિજબાની માણી હતી. આ વિસ્તારમાં અનેક વખત સાવજો આવીને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાબાના ભચાદર અને રામપરા ગામે ગતરાત્રીના ચાર ડાલામથ્થા સાવજો પોતાની ભુખ સંતોષવા શિકારની શોધમાં છેક ગામ સુધી આવી ચડયા હતા. અને ભચાદર ગામે એક બળદને ફાડી ખાધો હતો. ત્યારબાદ આ સાવજો વધુ શિકાર મેળવવા રામપરા ગામે પહોચ્યા હતા જ્યાં એક ધણખુટનો શિકાર કરી નિરાંતે મજિબાની માણી હતી.
આ વિસ્તારોમાં અવારનવાર જંગલમાંથી સાવજો આવી જાય છે અને દુધાળા પશુઓનો શિકાર કરે છે. ગામમાં સાવજો આવી જતા ગામલોકોમાં ભય ફેલાયો હતો. ગામના ઘણા લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-four-lion-hunting-two-animal-near-rajula-2720683.html

No comments: