Tuesday, January 24, 2012

ધારી ગીરપૂર્વમાં સિંહણની સારવાર બાદ મુક્ત કરાઇ.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 2:49 AM [IST](24/01/2012)
- એક માસ પહેલાં ઘાયલ સિંહણને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઇ હતી
ધારી ગીરપુર્વના મુંઢીયા વિસ્તારમાંથી એક માસ પહેલા ઇજાગ્રસ્ત સિંહણને વનતંત્ર દ્રારા પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. આ સિંહણને માથાના ભાગે ઇજા પહોંચી હોય વનવિભાગને જાણ થતા રેસ્કયુ ટીમ દ્રારા આ સિંહણને પકડી લેવામાં આવી હતી. બાદમાં સિંહણને સારૂ થતા ફરી આ જ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી છે.
ગીરપુર્વ જંગલમાં અનેક વખત સિંહ, સિંહણ તેમજ દિપડાઓ મારણ કરેલ પશુઓને ખાવા માટે અંદરો અંદર હુમલાઓ કરી બેસે છે અને ઘાયલ થાય છે. આવી જ રીતે ઘાયલ થયેલ એક ૮ થી ૧૦ વર્ષ ઉમરની એક સિંહણ ઘાયલ થતા તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી.
એક માસ પહેલા ઘાયલ થયેલ આ સિંહણને રેસ્કયુ ટીમ દ્રારા સારવાર માટે પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ આ સિંહણને સારૂ થઇ જતા ફરી આ જ વિસ્તારમાં તેને મુક્ત કરી દેવામાં આવી હતી. જો કે, આ ઘાયલ સિંહણને તાકિદે સારવાર આપી વન વિભાગે સિંહણને બચાવી લીધી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-leave-after-treatment-in-dhari-2784740.html

No comments: