Tuesday, January 24, 2012

ઘાયલ સાવજોની સારવારમાં તંત્ર બેદરકાર.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:54 AM [IST](23/01/2012)
- ક્રાંકચ ચાંદગઢની સીમમાં ભટકતા બે ઘાયલ સાવજોની સારવાર જરૂરી
ગુજરાતને ગૌરવ અપાવનાર ગીરના સાવજોની રક્ષા માટે સરકાર ભલે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી હોય પરંતુ સાવજના કમોતની ઘટના વધી છે. ઇજાગ્રસ્ત કે બિમાર સાવજાને સમયસર શોધી તેની સારવાર કરવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય પરંતુ વનતંત્ર હજુ પણ આ મુદે ઘોર બેદરકાર છે. લીલીયા પંથકમાં સાવજનું એક બચ્ચુ પાછલા પગે લંગડુ ચાલે છે. ચાંદગઢની સીમમાં પણ એક સાવજ લંગડો ચાલી રહ્યો છે આમ છતા વનતંત્ર દ્રારા આ બંનેની સારવાર કરવામાં નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે.
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના પાંચેક ગામોની સીમમાં વસતા સાવજના ગૃપમાંથી એક બચ્ચુ પાછલા ઘણા દિવસથી લંગડા પગે ચાલી રહ્યું છે. આશરે એક વર્ષની ઉંમરનું આ સિંહબાળ પાછલા જમણા પગે ઇજાગ્રસ્ત છે. થોડા સમય અગાઉ લોકો પાસેથી જાણકારી મયાં બાદ વનતંત્ર દ્રારા આ સિંહબાળને સારવાર આપવા પકડવા માટે તજવીજ હાથ ધરાઇ હતી. પરંતુ આ બચ્ચાને પકડવામાં વનતંત્રને સફળતા મળી ન હતી. જો સમયસર આ બચ્ચાની સારવાર કરવામાં નહી આવે તો તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. મારણ ખાતી વખતે અન્ય સિંહ દ્રારા કરાયેલા હુમલામાં આ સિંહબાળ ઘાયલ થયું હોવાનું વનતંત્ર માની રહ્યું છે.
આવી જ રીતે અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં પણ પાછલા ઘણા સમયથી ત્રણ સિંહનો પડાવ છે. જે પૈકીનો એક સિંહ પણ પગમાં ઇજા હોવાથી લંગડો ચાલે છે. વનતંત્ર દ્રારા આ સાવજોની કોઇ કાળજી લેવાતી હોય તે નજરે પડતુ નથી. વનવિભાગ નિયમિત પેટ્રોલીંગ કરે અને અને સાવજોને શોધી સારવાર કરાવે તે જરૂરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-tantra-is-useless-in-treatment-of-injured-lions-2780649.html

No comments: