Monday, January 30, 2012

મહંત વિઠ્ઠલબાપુનાં આજથી આમરણાંત ઉપવાસ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:05 AM [IST](30/01/2012)
- જુનાગઢનાં ઉપલા દાતારનો વાહન માર્ગ તાકીદે ન ખોલાય તો જોયા જેવી
- વનવિભાગને જડ વલણ છોડી દેવા સંતોની અપીલ
- સાધુ-સંતોની ખાસ બેઠકમાં નિર્ણય
જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાએ જવા માટે વાહન માર્ગ વનવિભાગે બંધ કરી દેતાં મહંત વિઠ્ઠલબાપુએ ગાયોનાં ચારા તેમજ ચાલતા અન્નક્ષેત્ર માટે પણ જડ વલણ ન અપનાવવા વનવિભાગને વિનંતી કરી હતી. જો આ મામલે કોઇ ઉકેલ ન આવે તો સોમવારથી આમરણાંત ઉપવાસની મહંત વિઠ્ઠલબાપુએ ચીમકી આપી છે.
કોમી એકતાનાં પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યા ખાતે વર્ષોથી ચાલતા અÌાક્ષેત્ર અને જગ્યાની ગૌશાળામાં માલઢોરનાં નિભાવ માટે દાતા પાસેનાં માર્ગ ઉપર વર્ષોથી ટ્રોલી વિનાનાં ટ્રેકટર અને ઉંટ મારફત માલ પહોંચાડાય છે. અઠવાડિયે ત્રણ વખત આ માલસામાન સહેલાઇથી ઉપર ચઢી જતો હતો. પરંતુ વનવિભાગે ટ્રેકટરને મનાઇ ફરમાવી માર્ગ પર જેસીબી વડે મોટા પથ્થરો આડા મૂકી દેતાં ઉપલા દાતારનાં હજારો સેવકો, સાધુ-સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ વન વિભાગે માલ સામાન ચડાવવા ટ્રેકટર ચલાવવાની પરવાનગી આપી હતી. ત્યારે અચાનક જ એ માર્ગ બંધ કરી દીધો છે.
વિઠ્ઠલબાપુએ વધુમાં ઉમેર્યું છે કે, ગિરનાર તીર્થક્ષેત્રમાં હજારો વર્ષોથી તપશ્વર્યા કરતા સાધુ-સંતોની અસંખ્ય ધાર્મિક જગ્યાઓ આવેલી છે. તેઓ પર્યાવરણ અને વન્યપ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખે છે. ક્યારેય કોઇ ધાર્મિક જગ્યા તરફથી જંગલને નુકસાન કરાયું નથી. છતાં વનવિભાગ તેનાં જટિલ કાયદા બતાવી ધાર્મિક જગ્યાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવે છે. અને સેવાકિય પ્રવૃત્તિમાં વિઘ્નો ઉભા કરી સરકાર અને તંત્રને સામસામે કરી દેવાની બેધારી નિતીનો વિરોધ કરીએ છીએ. જો આ પ્રશ્નનો બે દિવસમાં નિવેડો ન આવે તો આમરણ ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે એવી ચીમકી પણ અપાઇ છે.
અમારી સાથે જ ઓરમાયું વર્તન કેમ ?
વિઠ્ઠલબાપુએ વેધક સવાલ ઉઠાવતાં જણાવ્યું છે કે, ગિરનાર અભયારણ્યમાં બોરદેવી, કાશ્મીરી બાપુની ‘આમકુ’ ની જગ્યા, સરકડીયા હનુમાન, ઝીણાબાવાની મઢી, રામનાથ, મથુરેશ્વર, વગેરે સ્થળે વાહન મારફત માલ-સામાન પહોંચાડાય છે. ત્યારે દાતારની જગ્યા સાથે આડોડાઇ શા માટે ?

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-saint-vithalbapus-lifelong-fast-starts-from-today-2800165.html

No comments: