Monday, January 30, 2012

બિમાર થયેલા વનરાજા સાજા આખરે જંગલમાં વિહરતા થયા.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:24 AM [IST](29/01/2012)
થોડા સમય પહેલા રાજુલા શહેરમાં વન તંત્ર દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું
થોડા દિવસ પહેલા રાજુલા નજીકથી એક બિમાર સિંહ મળી આવતા તેને સારવારની બદલે રાજુલા શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. અને પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. આરએફઓ અને સ્ટાફે આ બિમાર અને લાચાર સિંહને ત્રાસદાયક રીતે બજારમાં ફેરવ્યો હતો.
આ બિમાર સિંહ વીસેક દિવસથી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ હોય જે સ્વસ્થ જણાતા આજે રાત્રીના તેને જંગલમાં મુકત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ખાંભા નજીકથી થોડા દિવસો પહેલા એક બિમાર સિંહ મળી આવતા વનવિભાગના આરએફઓ અને સ્ટાફ દ્રારા આ બિમાર સિંહની સારવાર કરવાના બદલે તેને શહેરમાં સરઘસ રૂપે ફેરવ્યો હતો.
આ ઘટનાના ઉચ્ચકક્ષા સુધી પડઘા પડ્યા હતા. તેમજ પ્રકૃતિ પ્રેમીઓમાં પણ રોષ ફેલાયો હતો. આ ઘટનાને પગલે આરએફઓની તાત્કાલિક બદલી પણ કરવામાં આવી હતી.
આ બિમાર સિંહને માથાના ભાગે ઘારૂ પડી ગયું હોય તેને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉ. વામજા વીસેક દિવસથી તેની સારવાર કરી રહ્યાં હોય હવે આ સિંહની તબીયતમાં સુધારો જણાતા આજે રાત્રીના ફરી તેને જંગલમાં મુકત કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-move-about-been-sick-in-the-wild-eventually-recover-lion-2797160.html

No comments: