Saturday, January 7, 2012

જાફરાબાદ નજીક સાવજે વાછરડાનું મારણ કર્યું.

Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:34 AM [IST](28/12/2011)
જાફરાબાદ તાલુકાના લોર ગામે ગતરાત્રીના એક સાવજે ગામમાં ઘુસી ફરજામાં બાંધેલ વાછરડાનો શિકાર કરી મિજબાની માણી હતી. રાત્રીના ગામમાં સાવજ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં જ ઘુસીને સાવજે મારણ કરતા લોકોએ સિંહ દર્શનનો લ્હાવો પણ લીધો હતો. ગીરના સાવજો હવે ધીમે ધીમે ગામડાઓમાં ઘુસી રહ્યાં છે અને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે. ગીર જંગલની નજીક આવેલા ગામડાઓમાં અવારનવાર સાવજો આવી પહોંચે છે. જાફરાબાદના લોર ગામે ગતરાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે એક સાવજ આવી ચડયો હતો. અને નાજાભાઇ રાણાભાઇ કળસરીયાના ફરજામાં બાંધેલ બે વર્ષના વાછરડાનો શિકાર કર્યો હતો. સાવજે ફરજામાં બાંધેલ વાછરડાને ઉપાડી દિવાલ ઠેકીને બાજુમાં આવેલા લીંબુડીના ઝાડ નીચે લઇ જઇ નિરાંત મજિબાની માણી હતી. વાછરડાઓ ભાંભરડા નાખતા નાજાભાઇ જાગી ગયા હતા પરંતુ ત્યાં તો સાવજ વાછરડાને પુરેપુરો ખાઇ ગયો હતો. ગામમાં સાવજ આવી ચડયાના સમાચાર ફેલાતા લોકોમાં ભય ફેલાયો હતો. લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-heifer-hunting-by-lion-near-jafrabad-2682739.html

No comments: