Saturday, May 26, 2012

દસ રોઝડાનાં મોતનું કારણ હજુએ અકળ: ગોથા 'ખાતુ’ વનતંત્ર.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:04 AM [IST](26/05/2012)
વિસાવદરનાં ભલગામની સીમમાંથી ગઈકાલે દસ રોઝડાના મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મુંગા પ્રાણીઓને અજાણ્યા લોકોએ વીજકરંટ કે ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ વનવિભાગ માટે મોતનું સાચું કારણ જાણવું મુશ્કેલ બન્યું છે.

ભલગામની સીમમાંથી ગઈકાલે સાંજે દસ રોઝડાનાં મૃતદેહો મળી આવતા વન્યપ્રાણી પ્રેમીઓમાં અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી. મીડીયાકર્મીઓએ વનવિભાગને જાણ કર્યા બાદ સ્ટાફે ઘટના સ્થળે દોડી મૃતદેહોનો કબ્જો લઈ સાસણના વેટરનરી તબીબ પાસે પોસ્ટર્મોટમ કરાવ્યા હતા.

આ રોઝડાનાં મૃતદેહો પંદરથી વીસ દિવસ પહેલાનાં હોવાથી વિશેરા લેવા અશકય હોય મોતનું સાચુ કારણ જાણવું મુશ્કેલ બન્યું છે. આ બનાવમાં ઝીણવટભરી રીતે તપાસ ચાલુ હોવાનું ડીએફઓ ડો.સંદીપકુમારે જણાવ્યું હતું.

No comments: