Tuesday, May 8, 2012

સાવરકુંડલા પંથકમાં બે ડાલામથ્થા સાવજોના નિયમીત આંટાફેરા.


 Source: Bhaskar News, Amreli   |   Last Updated 11:06 PM [IST](05/05/2012)
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા અભ્યારણ્યમાં અને તેના આજુબાજુના ગામોમાં બે ખુંખાર ડાલામથ્થા સાવજ સાંજ પડતા જ આંટાફેરા મારી રહ્યાં છે. વનવિભાગ અને માલધારીઓ જેને બેલાડના નામથી ઓળખે છે. ગરમીથી અકળાયેલા આ બંને સાવજો બારેક કિલોમીટરનું પરિભમણ કરતા હોવાનું જાણવા મળેલ છે. અને જ્યાં પાણીવાળો વિસ્તાર હોય ત્યાં ધામા નાખીને બેસી જાય છે.

આ બંને સાવજો ગીનીયા બગોયા ગામ થઇને કૃષ્ણગઢ ત્રિભેટ આવીને ત્રાડો નાખે છે. અને લોકોને ચેતવણી આપે છે. બાદમાં આ બેલડા ચોતરા હનુમાનના મંદિર અને તાળીના રસ્તેથી અભરામપરા રેવન્યુ વિસ્તારમાં પસાર થાય છે. બાદમાં રાત્રીના સી નામના ડુંગરે આખીરાત વિસામો કરે છે.

સવાર થતા જ ફરી આ બંને ડાલામથ્થા સાવજો ઠંડા પાણીવાળા વિસ્તારમાં ગરમીથી છુટકારો મેળવવા પહોંચી જાય છે. ત્યારે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ બેલડા દરરોજ ૧૨ થી ૧૪ કિમી પરિભમણ કરે છે. હાલ ગરમીમાં તે ઓછુ અંતર કાપે છે. ધારીના ડીએફઓ અંશુમન શર્માની દેખરેખ હેઠળ વન્યપ્રાણીઓ હાલ સુરક્ષા અનુભવી રહ્યાં છે. હાલ આ બેલડા કૃષ્ણગઢથી બગોયા જવાના રસ્તે કેમેરામાં કેદ થઇ ગયા હતાં. વનવિભાગના જણાવ્યા મુજબ હાલ આ બેલડા ચોટલીયા ડુંગર આસપાસ આંટાફેરા મારી રહ્યાં છે.

No comments: