Tuesday, May 1, 2012

ગાયે વાઘને ચટાડી ધૂળ, આખરે ઘાયલ વાઘ મોતને ભેટ્યો!



કોઈમ્બતુંર 30, એપ્રિલ

તમને આ સમાચાર સાંભળવામાં નવાઈ પમાડે તેવાં લાગી શકે છે, પરંતુ આ વાત સાચી છે કે એક ગાયે વાઘને મારી નાંખ્યો છે. શુક્રવારની રાત્રે એક વાઘ ગાયોનાં વાડામાં ઘૂસી ગયો હતો, જ્યાં ગાયે વાઘને શિંગડાથી માર્યો હતો, અને તે વાઘનું શનિવારે મોત થયું હતું.

આ ઘટના તમિલનાડુનાં કોઈમ્બતુંરનાં વાલપરાઈમાં બની હતી. ચાની ખેતી કરતાં આ ગામમાં એક વ્યક્તિ જ્ઞાનશેખરને શુક્રવારે આ નજારો પોતાની સગી આંખે જોયો હતો. પહેલાં તો તે ડરી ગયો હતો, પરંતુ તેણે જોયું કે ગાય દ્રારા વારંવાર વાઘને શિંગડા મરાયાં હોવાથી તેનામાં ચાલવાની શકિત પણ રહી નહોતી. જો કે બાદમાં ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. બાદમાં વન્ય અધિકારીઓને બોલાવવામાં આવ્યાં હતા.

વન્ય અધિકારીઓએ પશુ ચિકિત્સકને બોલાવ્યાં હતાં. વાઘને બેભાનનું ઈંજેકશન આપી દવાખાને દાખલ કરાયો હતો, પરંતુ બાદમાં શનિવારે વાઘનું દવાખાનામાં મૃત્યુ થયું હતું.

જો કે ચિકિત્સકનાં જણાવ્યાં અનુસાર વાઘ પહેલેથી જ ઘાયલ હતો, જેથી તેને ગાયનાં શિંગડાની વધુ અસર થઈ હતી. વાઘ શિકારની શોધમાં ગાયના વાડામાં પહોંચી ગયો હતો. ગાયે પોતાના વાછરડાને બચાવવા માટે વાઘ પર પોતાના શિંગડાથી હુમલો કર્યો હતો. ચિકિત્સકનાં જણાવ્યાં પ્રમાણે વાઘની ઉંમર 10 વર્ષની હતી.

No comments: