Tuesday, May 22, 2012

ઊનાના મહોબતપરા ગામે આધેડ પર વનરાજનો હુમલો.


Source: Bhaskar News, Una   |   Last Updated 11:44 PM [IST](19/05/2012)
ઊનાનાં મહોબતપરા ગામે આજે વહેલી સવારે સિંહે હુમલો કરી આધેડને સામાન્ય ઇજા પહોંચાડી હતી. જેના પગલે ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર ઉના તાલુકાનાં મહોબતપરા ગામે રહેતાં મનુભાઇ દેવશીભાઇ ગુજજર (ઉ.વ.૪પ) નામનાં પંચોળી આધેડ પોતાની વાડીએ સુતા હતા ત્યારે વહેલી સવારનાં સુમારે શિકારની શોધમાં આવેલાં સિંહની નજરે વાડીમાં રહેલાં ઘેટા ચઢી જતાં તેની પર તરાપ મારવામાં નિંદ્રાધીન મનુભાઇને સિંહનો પંજો લાગી જતાં તેમને માથાનાં ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી.

મનુભાઇએ રાડારાડી કરી મુકતાં સિંહ નાસી ગયો હતો. ઊના સરકારી દવાખાને મનુભાઇને સારવાર આપ્યા બાદ તબીબે તેમને ભયમુકત જાહેર કર્યા હતા. ઊના પંથકમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરા વધ્યા હોય વનતંત્ર દ્વારા તકેદારીનાં પગલા ભરાઇ તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે. જ્યારે હુમલાના બનાવથી લોકોમાં ભયનુ મોજુ ફેલાઇ ગયું છે.

No comments: