Tuesday, May 29, 2012

રાજુલા જાફરાબાદ પંથકમાં ૩૩ ગીધ જોવા મળ્યાં.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:05 AM [IST](29/05/2012)
 
- નાગેશ્રી, ખાખબાઇ, ઝાંપોદરમાં જ ગીધ કોલોની બચી છે

વિશ્વમાં સૌથી વધુ ઝડપે નાશ પામનારી ગીધની ગણતરી ગઇકાલે પુર્ણ થઇ. ગીર ફાઉન્ડેશન ગાંધીનગર અને વનવિભાગ દ્રારા ગીધની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજુલા અને જાફરાબાદ પંથકના વિસ્તારોમાં માળાઓમાં બચ્ચાઓ સાથે ૩૩ ગીધો નજરે પડ્યાં હતાં. ગણતરીની કામગીરીમાં પ્રકૃતપિ્રેમીઓએ પણ પુરતો સહયોગ આપ્યો હતો.

અમરેલી જિલ્લામાં બે દિવસ માટે ગીધની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ગીધની વસતી ગણતરી ચરકીયા ડુંગર, હડાળા, જાંબુડી, જાબ, રાજુલા, જાફરાબાદ વગેરે વિસ્તારોમાં કરવામાં આવી હતી. જેમાં રાજુલા જાફરાબાદના નાગેશ્રી, ખાખબાઇ, ઝાંપોદરમાં ગીધ કોલોની જોવા મળી હતી. સૌથી વધુ ગીધ નાગેશ્રીમાં ગૌતમભાઇ વરૂ અને પ્રતાપભાઇ વરૂની વાડીમાં જોવા મળ્યાં હતાં.

ગણતરીના દિવસે ડીએફઓ મકવાણાએ ઉપસ્થિત રહી ગણતરી અને ગીધોની સુરક્ષા માટે સુચનાઓ આપી હતી. નાગેશ્રીમાં ત્રણ વાડીઓમાં ગીધની વસાહત ટકી રહી છે. જેમાં નદીકાંઠે મુન્નાભાઇ વરૂની વાડી તેમજ પરમાર ભાઇઓની ત્રણ વાડી અને ગાૈતમભાઇની વાડીમાં નાળીયેરી પર માળાઓમાં ત્રણ બચ્ચાઓ સહિત ૩૩ ગીધો જોવા મળ્યાં હતાં.

વાડી માલિક ગાૈતમભાઇ પક્ષીપ્રેમી હોવાથી ગીધોની વસાહત સુરક્ષિત છે. અહી વાડીમાં કામ કરતા મજુરો, મહિલાઓ બધા જ ગીધોનું ધ્યાન રાખે છે. ગીધની ગણતરીની કામગીરીમાં પક્ષીવિદ્દ પ્રવિણભાઇ ગોહિલ, મંગાભાઇ, અશોકભાઇ સાંખટ, ફોરેસ્ટર ડેરભાઇ, પ્રતાપભાઇ, ઉદયભાઇ, સુરેશભાઇ, આરએફઓ બ્લોચ, વિપુલભાઇ લહેરી વગેરે જોડાયા હતા.

No comments: