Wednesday, May 2, 2012

ગિરનાર ઉપર વનવિભાગનું ઓપરેશન ડીમોલીશન.


Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 6:56 PM [IST](01/05/2012) 
 
-અંબાજીથી દત્તાત્રેય સુધીની ૩ નવી ગેરકાયદેસર દુકાનો દૂર કરાઇ

વનવિભાગે ગઇકાલે ગિરનારની સીડીની આસપાસ થઇ ગયેલાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. વનવિભાગની બે ટુકડીઓએ કુલ ૧૮ દુકાનોનું દબાણ દૂર કર્યું હતું.

ગિરનારનાં પગથિયાં આસપાસ થઇ ગયેલા ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે ગઇકાલે દક્ષિણ ડુંગર રેન્જનાં આર.એફ.ઓ. મારૂની આગેવાની હેઠળ વનવિભાગની બે ટુકડીઓ બનાવાઇ હતી. જેમાં એક ટુકડીએ તળેટીથી અંબાજી અને બીજી ટુકડીએ અંબાજીથી ગુરૂ દત્તાત્રેય સુધીની સીડી આસપાસનાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

જેમાં અંબાજી સુધીમાં ૧૦ દુકાનોએ કંતાનો બાંધીને વાળી લીધેલી વધારાની જગ્યા પરનાં દબાણો દૂર કર્યા હતા અને પાંચ નવી બનેલી દુકાનો દૂર કરી હતી. જ્યારે અંબાજીથી દત્તાત્રેય સુધીની ૩ નવી ગેરકાયદેસર દુકાનો દૂર કરાઇ હતી. તળેટીથી દત્તાત્રેય સુધીમાં કંતાનો બાંધીને કરાયેલા કુલ ૧૮ દબાણો આ રીતે દૂર કરાયાનું આર.એફ.ઓ. મારૂએ જણાવ્યું હતું.

No comments: