Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 11:50 PM
સાવજોની આત્માની શાંતી માટે બજરંગ ગૃપ દ્વારા આયોજન કરાયું, બજરંગ ગૃપે આ દિવસે બંધનુ એલાન પણ આપ્યું
દેશભરમાથી લોકો આ વિસ્તારમા સિંહ દર્શન માટે આવે છે. પરંતુ દલખાણીયા રેંજમા 23 સાવજોના મોતની ઘટનાને પગલે સ્થાનિક લોકો શોકમા છે. કારણ કે અહીના લોકો સાવજોને પ્રેમ કરનારી પ્રજા છે. જેને પગલે અહીના બજરંગ ગૃપ દ્વારા આગામી મંગળવારે ધારી બંધનુ એલાન અપાયુ છે. અહીના બજરંગ ગૃપે ગામમા એક જાહેર બોર્ડ મુકી મૃત્યુ પામેલા સિંહોના આત્માની શાંતી માટે વેપારીઓને બંધ પાળવા અપીલ કરી છે. એટલુ જ નહી બજરંગ ગૃપે આ દિવસે ગૃપના સભ્યો ઉપવાસ કરશે તેવી પણ જાહેરાત કરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-23-in-the-grief-of-the-dead-the-citys-traders-will-observe-fasting-and-closing-on-tuesday-gujarati-news-5965806-NOR.html
No comments:
Post a Comment