Wednesday, October 31, 2018

જિલ્લામાં પશુ તબીબોની નવી ભરતી તો થઇ છતાં પણ હજુ 50 ટકા જગ્યા વણપુરાયેલી

Divyabhaskar.com | Updated - Sep 30, 2018, 02:00 AM

11 તાલુકામાં 33 પશુ દવાખાનાની વચ્ચે માત્ર 8 ડોકટર હતા અને હાલમાં 9ની ભરતી કરવામાં આવી


સરકાર દ્વારા એક તરફ પશુધન વિશે નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ત્યારે હાલમાં જ ગુજરાત રાજયમાં પશુ ડોક્ટરની નવી ભરતી કરવામાં આવી છે. તેમાં સૌથી વધારે અમરેલી જિલ્લામાં 9 ડોક્ટરોની નીમણુંક કરવામાં આવી છે. આ ડોક્ટરોની નવી ભરતી બાદ પણ જિલ્લામાં 33 પશુ દવાખાનાની વચ્ચે પણ 50 ટકા જગ્યા ખાલી પડી છે. જો અમરેલી જિલ્લામાં સૌથી વધારે ડોક્ટરની ભરતી કરવા છતાં પણ જિલ્લામાં મોટા પ્રમાણમાં જગ્યા ખાલી જોવા મળી રહી છે. તો રાજયના બાકી જિલ્લાની પરિસ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું છે.

અમરેલી જિલ્લામાં અમરેલી, બગસરા, કુંકાવાવ, ધારી, ખાંભા, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, લાઠી, બાબરા તાલુકામાં 33 પશુ દવાખાનાઓ આવેલા છે. આ દવાખાનાની વરવી વાસ્તવિકતા એ છે કે પશુ ડોક્ટરના અભાવે હાલતો ધુળ ખાઈ રહ્યા છે.

તાલુકા ડોકટરો

અમરેલી 2

બગસરા 2

કુંકાવાવ 1

ધારી 2

ખાંભા 1

જાફરાબાદ 1

રાજુલા 1

સાવરકુંડલા 2

લીલીયા 1

લાઠી 2

બાબરા 1
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020054-2851607-NOR.html

No comments: