Wednesday, October 31, 2018

મોરારિબાપુ દુઃખી થઈ બોલ્યા, 23 સિંહના મોત થયા તેના મૂળમાં જવું જોઈએ

Divyabhaskar.com | Updated - Oct 05, 2018, 05:34 PM

બાપુએ કહ્યું, 23 સિંહોના મોત થયા તેના મૂળમાં જવું જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ

ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ: મોરારિબાપુ
જયદેવ વરુ, અમરેલીઃ ગીરમાં 23 સિંહના મોત બાદ વન વિભાગ અને સરકાર પણ દોડતા થઈ ગયા છે. આજે સિંહના મોત પર કથાકાર મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટના દુઃખદ છે.શું કામ બન્યું છે, શું થઈ રહ્યું છે, બધા તપાસ કરે છે. 23 સિંહોના મોત થયા તેના મૂળમાં જવું જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ.
આરોગ્ય મંદિરમાં રહેલા દર્દીઓના ખબર-અંતર પણ પૂછ્યા

આ દરમિયાન મોરારિબાપુએ સાવરકુંડલા ખાતે આવેલા આરોગ્ય મંદિર બહાર આવેલા એક ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ આરોગ્ય મંદિરમાં વિના મૂલ્યે દર્દીઓની સારવાર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કર્યા બાદ બાપુએ આરોગ્યમંદિરની પણ મુલાકાત લીધી હતી, આ સાથે આરોગ્ય મંદિરમાં રહેલા દર્દીઓના ખબર-અંતર પણ પૂછ્યા હતા.

No comments: