Wednesday, October 31, 2018

સિંહ સંરક્ષણ અને મેનેજમેન્ટ માટે નિવૃત કર્મીઓએ તત્પરતા દાખવી

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:01 AM

વનતંત્રનાં નિવૃત કર્મીઓએ મિટીંગમાં વિવિધ મુદે ચર્ચા કરી

Junagadh - latest junagadh news 030115
જૂનાગઢનાં ખડિયામાં નિવૃત વન અધિકારીઓ અને કર્મચારી મહામંડળની એક મિટીંગ મળી હતી. આ મિટીંગમાં સિંહોનાં સંરક્ષણને લઇ નિવૃત કર્મચારીઓએ તત્પરતા દાખવી હતી. વન વિભાગનાં નિવૃત કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં. વન કર્મચારીઓએ નિવૃતી બાદ થતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિરાકરણ માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે. આ ઉપરાંત વન વિભાગમાં સિંહ સંરક્ષણ અને મેનેજમેન્ટ માટે નિવૃત કર્મચારીઓ દ્વારા તત્પરતા દાખવવા કહ્યું છે. આ મિટીંગમાં નિવૃત એસીએફ સી.પી.સાપરિયા, આર.પી.પરમાર સહિતનાં હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030115-3093222-NOR.html

No comments: