Divyabhaskar.com | Updated - Oct 03, 2018, 01:13 AM
સાવજો અસાધારણ બિમારીનો ભોગ બન્યા પણ વનતંત્ર દ્વારા ઢાંકપીછોડો ?

ગીરના સાવજો જે રીતે એક પછી એક મોતને ભેટ્યા તે અંગે જાણકારો પ્રથમથી જ આ સાવજો ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા હોવાનું માની રહ્યા છે. પરંતુ નિંભર વનતંત્રએ ઇનફાઇટ અને ઇનફાઇટના કારણે થયેલા ઇન્ફેક્શનને જ સાવજોના મોત માટે જવાબદાર માની ગંભીર બેદરકારી દાખવી હતી. બે દિવસ પહેલા ખુદ વનમંત્રીએ ધારી અને દલખાણીયાની મુલાકાત લીધી હતી. તે વખતે પણ આ જ વાતો દોહરાવ્યે રખાઇ હતી.
સામાન્ય રીતે અહિં સાવજો બિમાર પડે ત્યારે તેની સારવાર કરાય જ છે અને આ સાવજોને લાગુ પડતી તમામ બિમારીઓની દવા દેશમાં ઉપલબ્ધ જ છે. વનતંત્રએ છેક અમેરીકાથી દવાઓ મંગાવી તે જ દર્શાવે છે કે અહિંના સાવજો એવી ગંભીર બિમારીમાં સપડાયા છે જેની અહિં દવા ઉપલબ્ધ નથી. જો આ દિશામાં ઝડપી કાર્યવાહી નહી થાય તો વધુ સાવજો કાળનો કોળીયો બની જશે.
વનતંત્ર દ્વારા ગીર જંગલમાંથી કેટલાક સાવજોને નિરીક્ષણ માટે ઉપાડી લઇ જામવાળામાં રાખવામા આવ્યા છે. પરંતુ આ સાવજોને જે સ્થળે રખાયા છે તેની આસપાસ ભારે ગંદકી છે. તેના કારણે પણ સાવજો બિમાર પડે તેવી શક્યતા છે. આજે આસપાસમાં ગંદકી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-if-there-is-no-serious-illness-why-should-we-call-a-vaccine-from-america-for-lion-gujarati-news-5964951-NOR.html
No comments:
Post a Comment