Thursday, April 30, 2020

વડલી ગામમાં બે દિવસથી સિંહોના ધામા, 5 પશુનો શિકાર કર્યો, ગ્રામજનોમાં રોષ

  • ખેડૂતો પણ પોતાની વાડીએ જઇ શકતા નથી

દિવ્ય ભાસ્કર

Apr 14, 2020, 12:17 PM IST

અમરેલી. રાજુલાના વડલી ગામમાં છેલ્લા બે દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે. સિંહોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. છેલ્લા દિવસમાં ગામમાં રસ્તા પર રઝળતા 5 પશુનો શિકાર કર્યો છે. વહેલી સવારે અથવા મોડી રાત્રે સિંહો શિકારની શોધમાં ગામમાં ઘૂસે છે. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી છે. ખેડૂતો પોતાની વાડીએ જઇ શકતા નથી. 

(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/lions-come-in-vadali-village-of-rajula-and-5-animal-hunt-127168724.html

No comments: