Thursday, April 30, 2020

તુલસીશ્યામ નજીક સિંહ અને નાગ વચ્ચે ઇન્ફાઇટ, નાક પર ફેણ મારી દેતા હેમરેજ થતા સાવજનું મોત


પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • જશાધાર રેન્જમાં સાવજીયું નેળું વિસ્તારમાથી 14 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો

દિવ્ય ભાસ્કર

Apr 05, 2020, 10:30 AM IST

જૂનાગઢ. જશાધાર રેન્જમાં સાવજીયું નેળું વિસ્તારમાથી 14 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.  બનાવની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને તપાસહાથ ધરી હતી. આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરતા કંઇ વાંધાજનક મળી આવ્યું નહોતું. સિંહના નાક પર સાપ કરડ્યાના નિશાનો જોવા મળ્યા હતા. આથી મૃતદેહને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લાવીને પીએમ કરાતા સિંહનું મોત સર્પદંશથી થયાનું ખુલ્યું હતું. સર્પદંથથી સિંહના શરીરમાં ઇન્ટરનલ બ્લીડીંગ અને હેમરેજ થવાને લીધે મોત થયાનું માલુમ પડ્યું હતું. કોઇ કારણોસર સાપ અને સિંહ વચ્ચે ઇન્ફાઇટ થયાનું જાણવા મળ્યું છે 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/infight-between-lion-and-snake-so-lion-death-near-tulasishyam-127112692.html

No comments: