Thursday, April 30, 2020

ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું કામ શરૂ, વિદેશના એન્જિનિયરો સાથે વીડિયો કોલીંગથી વાત કરી માર્ગદર્શન મેળવાય છે

  • રોપ-વે યોજનાનું અંદાજીત 15- 20 ટકા કામકાજ હજી બાકી

દિવ્ય ભાસ્કર

Apr 22, 2020, 10:05 PM IST

જૂનાગઢ. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ અમુક ઉદ્યોગો, કારખાનાઓને કામકાજ કરવાની મંજૂરી મળી છે.  જે અન્વયે  સમગ્ર સોરઠનો અતિ મહત્વકાક્ષી પ્રોજેક્ટ ગીરનાર રોપ- વે  યોજનાનું કામકાજ ફરી ચાલું કરવામાં આવ્યું છે. આ તકે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીના સભ્ય અને ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીયા, ત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પઢિયાર હાજર રહ્યા હતા. રોપ-વે યોજનાનું અંદાજીત 15- 20 ટકા કામકાજ હજી બાકી છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી આ યોજનામાં કામ કરતા મજૂરો અને કંપનીના અધિકારીઓ જુનાગઢ અને સાઈટ પર જ હતા. કંપની દ્વારા તેમના રહેવા જમવાની પૂરતી કાળજી રખાઈ હતી. વિદેશના એન્જિનીયરો સાથે વીડિયોકોલીંગથી વાત કરી માર્ગદર્શન મેળવીને હાલ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. 

કામગીરી જોડાયેલા દરેક લોકોની તકેદારી રાખવામાં આવી રહી છે

સુરક્ષાલક્ષી પગલાઓ જેવા કે દરેકનું દર બે કલાકે સેનેટાઈઝરથી સેનેટાઝેશન,  દરેકનું ગનથી ટેમ્પરેચર માપવાનું તેમજ ડોક્ટર દ્વારા દરેકની ફિઝીકલ તપાસ અને બહારથી આવતા દરેકની એન્ટ્રીની નોંધ કરી તેમના એડ્રેસ અને મોબાઈલ નંબરની નોંધ કરવામાં આવે છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ભવનાથ ક્ષેત્રના સંતો મહામંડલેશ્ર્વર ભારતીબાપુ,  શેરનાથ બાપુ તેમજ ઈન્દ્રભારતી બાપુની મુલાકાત લઈ તેમને આ કાર્યની માહિતી આપી આશીર્વાદ મેળવ્યા હતા.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/girnar-rope-way-work-start-between-lockdown-127220617.html

No comments: