Thursday, April 8, 2010

પેટલાદના બે વેપારીઓની વનવિભાગ પૂછતાછ કરશે.

જૂનાગઢ,તા.૭:

ગિરનાર જંગલમાંથી ચંદનના લાકડાની ચોરીના પ્રકરણમાં પોલીસે ઝડપેલા પેટલાદના બે વેપારીઓનો વનવિભાગ દ્વારા કબજો મેળવાયો છે. જો કે, શરૃઆતના સમયમાં જ કંઈ ન કઢાવી શકનાર વનવિભાગ હવે ફરી વખત આ પ્રકરણમાં આગળની પુછપરછ હાથ ધરશે.

ગિરનાર જંગલમાંથી ચંદનના લાકડા ચોરીને લઈ જતી ચાર મહિલા અને એક પુરૃષને વનવિભાગે ઝડપી લીધા બાદ આ પ્રકરણમાં પોલીસે મેદાનમાં આવીને સમગ્ર કારસ્તાન ખુલ્લુ પાડયું છે. લાકડા કાપતા ઝડપાયેલા આરોપીના ત્રણ દિવસના અને લાકડાની ખરીદીમાં બહાર આવેલા વેપારીઓના બે દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે આ પ્રકરણના મૂળ સુધી તપાસ ચલાવ્યા બાદ આજે પેટલાદના એ બન્ને વેપારીઓના રિમાન્ડ પૂર્ણ થઈ જતા વનવિભાગે પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટના આધારે આ બન્ને વેપારીઓનો કબજો લીધો છે. તેમજ આ પ્રકરણમાં હવે આગળની તપાસ ચલાવશે. જો કે શરૃઆતના સમયમાં જ જ્યારે ચંદન ચોરી કરતા પાંચ આરોપીઓ ઝડપાયા ત્યારે જ વનવિભાગ પણ આ પ્રકરણમાં આટલે સુધી પહોંચી શક્યું હોત. પરંતુ પોલીસે મેદાનમાં આવીને આ કૌભાંડના મૂળ સુધી તપાસ ચલાવવી પડી હતી. તેવું પણ પોલીસ સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=175881

No comments: