Friday, April 9, 2010

ભેંસાણના વિદ્યાર્થીઓએ સો ચકલીઘર બનાવી વિતરણ કર્યા.

ભેંસાણ,તા,૮

ભેસાણની ચિરાગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આચાર્યની પ્રેરણાથી ચકલી માટે માળા બનાવી તેનું ઘરે ઘરે વિતરણ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.
અહીંના છોડવડી રોડ પર આવેલ પ્રાથમિક શાળાના ધોરણ ત્રણથી સાતના સો જેટલા વિદ્યાર્થીઓએ વાર્ષીક પરીક્ષામાં લેવાતા સર્જનાત્મક પ્રવૃતિના પ્રેકટીકલ પેપરમાં આચાર્ય ભરતભાઈ વાછાણીની પ્રેરણાથી ખોખાના મકાન કે માટીના રમકડા બનાવવાના બદલે ચકલી માટે માળા તૈયાર કર્યા હતા. સ્ટાફગણની સુચનાથી ઘરેથી માળા બનાવવાની સાધન સામગ્રી લઈ આવીને શાળાના મેદાનમાં સો માળા તૈયાર કર્યા હતા.ત્યારબાદ શહેરના સરદાર ચોક, ગાંધી ચોક, રામગઢ પ્લોટ, હરીપરા પ્લોટમાં ઘરે ઘરે ફરી માળાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતુ. અને ચકલીને ઉછેરવા લોકોને અપીલ કરી હતી. સંસ્થાના વડા વી.આર.વઘાસીયા, શિલ્પાબેન ઠેસીયા વગેરેએ સર્જનાત્મક વિચારને બિરદાવ્યો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=176298

No comments: