Sunday, April 18, 2010

સિંહ માટે પાણીના કૂંડા ભરતા આધેડની કૂવામાંથી લાશ મળી.

Sunday, Mar 28th, 2010, 4:26 am [IST]
ભાસ્કર ન્યૂઝ. તાલાલા

ગીર જંગલની પીળીયાટનાં જંગલ વિસ્તારમાં આવેલા નનામા કુવામાં મજુર આઘેડની લાશ હોવાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતક ગીર જંગલમાં સિંહોને પાણી પાવાનાં કુંડા ભરવાનું કામ કરતો હતો. મૃતક કુવામાં બે દિવસથી પડી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. મૃતકની લાશ કુવાનાં પાણીમાં બે દિવસ રહેવાથી ફુલાઈ જવા સાથે પેટ અને માથાનાં ભાગે ઈજાનાં નશિાન હોય પોલીસે શંકા સ્પદ મોત જોઈ લાશનું પી.એમ. જામનગર કરવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક મજુર કુવામાં કેવી રીતે પડયો ? જંગલનાં નર્જિન વિસ્તારમાં કોઈએ માર માર્યો છે કે કેમ ? કે પછી હિઁસક પ્રાણીનાં હુમલાથી ઈજા પામી જીવ બચાવવા કુવામાં ખાબકી ગયો હતો. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/28/403393.html

No comments: