Thursday, April 1, 2010

એક માસથી મકાનમાં ગોંધાઈ રહેલા દીપડાને રેસ્કયુ ઓપરેશનથી પકડયો

કોડીનાર તા.૩૦ :

વેરાવળ કોડીનાર પંથકમાં જંગલી દીપડાનો ભારે ત્રાસ વધી ગયો છે.વેરાવળ પંથકમાં નવ નવ દીપડા પાંજરે પુરાઈ ગયા બાદ કોડીનાર તાલુકાના કડોદરા ગામે કોડીનારમાં બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેનના નવા બંધાઈ રહેલા મકાનમાં એક દીપડો ભરાઈ ગયા બાદ એક એક માસથી અંદર જ પુરાઈ રહેતા અને આજે દીવાલને તોડીને ઈંટો દુર કરીને બહારની દુનિયાને જોવા ડોકીયુ કરતા આ દીપડો દેખાયો હતો.આ ઘટના બનતા જ વન અધિકારીઓએ દીપડાને બહાર કાઢવા માટે મારણ મુકીને પાંજરૃ મૂકયું છે.મોડી રાત્રીના રેસ્કયુ ઓપેરશન દરમ્યાન દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો.

આમ છતાં દીપડો પાંજરામાં આવ્યો નથી.નવાઈની એ વાત છે કે મકાનમાં એક માસ સુધી ભરાઈ બેઠેલા દીપડાએ ભોજન અને પાણીની શું વ્યવસ્થા કરી હશે? કોડીનાર પંથકમાં આ મકાન દીપડાઓને જાણે કે ગમી ગયા હોય એમ અગાઉ પણ એક દીપડો આ બંગલામાં ભરાઈ ગયો હતો એને દુર કર્યા બાદ આ બીજો દીપડો ભરાઈ ગયો છે.

બનાવની વધુ વિગત મુજબ ઉપરોકત મકાનમાં એક દીપડો અંદર જ ભરાઈ ગયો હતો.આ મકાનનું મોટા ભાગનું કામ પુરૃ થઈ ગયું છે.અને આ પહેલા એક દીપડો પુરાયો હતો. તેને પકડવામાં આવ્યો હતો.એ જ સમયે આ મકાનમાં બીજો દીપડો પ્રવેશ્યો હોય અને ખુણામાં પુરાઈ રહયો હોય એવી ધારણા રાખવામાં આવે છે. આ જ સમય ગાળામાં મકાનનો સ્લેબ ભરાઈ ગયો હતો.અને આજુબાજુ ચણતરકામ પુરૃ થઈ ગયું હતું.

અને આ દીપડો અંદર ભરાઈ ગયો હતો.એક માસ સુધી કેદ ભોગવ્યા બાદ દીપડો બહાર નીકળવા મથતો હતો અને પંજા વડે દીવાલની ચારથી પાંચ ઈંટો કાઢી નાખી તેમાંથી ડોકિયુ કાઢી બહારની દુનિયા નીહાળતો હતો. આજે મકાનનું પ્લાસ્ટર કામ ચાલતું હતું.તે સમયે એક મજુર પાણી છાંટતો હતો.ત્યારે દીપડાએ દર્શન દેતાં મજુર ભયથી થથરી ગયો હતો. બાદ દી૫ડાને પકડવા માટે વનવિભાગે પાંજરા સાથે રેસ્કયુ ઓપેરશન હાથ ધરતા મોડી રાતે દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173343

No comments: