Wednesday, April 7, 2010

ગીરમાં સિંહોની વસ્તી ગણતરી આગામી માસથી શરૃ થશે.

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 22 માર્ચ 2010
ભાવનગર, સોમવાર

ગીરના જંગલમાં સિંહોની વસ્તી ગણથરીનો ફાઇનલ તબકકો તા.૨૬ એપ્રિલથી શરૃ થશે. જંગલ ખાતામાં અદિકારીઓ અને આર.એફ.ઓ.ની જગ્યાઓ ખાલી હોય સિંહની વસ્તી ગણતરી કેટલીક વાસ્તવીક થશે તે અંગે પણ સવાલ ઉઠવા પામ્યો છે.
આજથી પ્રાથમિક કવાયતનો આરંભ ઃ ઘણાં બધા અધિકારીઓની જગ્યા ખાલી હોય ગણતરી શાથી થશે ?

ગુજરાતના ગૌરવ, સૌરાષ્ટ્રની શાન અને ગીરના અણમોલ ઘરેણા સમાન સિંહોની ગણથરી દર પાંચ વર્ષે હાથ ધરવામાં આવે છે. આ કવાયતના ભાગરૃપે ચાલુ વર્ષની સિંહ ગણતરીનું કાર્ય ચાલુ થયેલ છે. જે મુજબ આવતા મહીનાની ૭ તારીખે મોક કાઉન્ટીંગ પ્રેક્ટીસ અને ટ્રાયલ માટે કરવામાં આવશે જ્યારે ફાઇનલ ગણતરી તા.૨૬ થી ૨૯ એપ્રિલ દરમિયાન કરાશે જેના પહેલા બે દિવસોમાં પ્રાયમરી અને બાકીના બે દિવસોમાં ફાઇનલ ગણતરી કરવામાં આવનાર છે.

ગીર અભ્યારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહોનું વ્યવસ્થાપન જે સર્કલના તાબામાં આવે છે તે વન્યપ્રાણી વર્તુળ - જુનાગઢના સર્કલ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા વન સંરક્ષકમાંથી મુખ્ય વન સંરક્ષક કક્ષાની તાજેતરમાં કરવામાં આવેલ છે. વન્યપ્રાણી વર્તુળના વન સંરક્ષક શર્માની બઢતી સાથે બદલી ગાંધીનગર કરી તેઓને વધારાનો ચાર્જ જુનાગઢ ખાતેના સર્કલનો અપાયેલ છે. ગાંધીનગરના અધિકારીને જુનાગઢનો ચાર્જ આપવા અને વન્યપ્રાણી વર્તુળની જગ્યા ખાલી રાખવાની બાબત વન વર્તુળોમાં ચર્ચાનો વિષય બનેલ છે. ગીરનો મોટાભાગનો વિસ્તાર જે ડીવીઝનના તાબામાં આવે છે તે ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક અભ્યાસની લાંબી રજા પર હોવા છતાં આ જગ્યા પર કાયમી અધિકારી મુકવાનું ટાળી સાસણ વન્યપ્રાણી ડીવીઝનના નાયબ વન સંરક્ષકને વધારાનો હવાલો અપાયેલ છે.

ઉપરાંત મોટાભાગના મદદનીશ વન સંરક્ષકો અને આર.એફ.ઓ.ની જગ્યાઓ ખાલી છે જે પણ વધારાના ચાર્જમાં ચલાવવામાં આવે છે. આમ સૈનિકો અને સેનાપતિ વગરની વન સેના ઉછીના અધિકારીઓ અને સ્ટાફ સાથે સિંહોની ગણતરીનું કામ કરવા મેદાનમાં ઉતરેલ છે ત્યારે સરકારની વન્યપ્રાણી વર્તુળ તાબાની ખાલી જગ્યાઓ પુરવા બાબતેની સંવેદના પ્રશ્નાર્થ રૃપ બનેલ છે.

ગીર નેચર યુથ કલબના પ્રમુખ અમીત જેઠવાએ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક, ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક, મોટાભાગના મદદનીશ વન સંરક્ષકો અને આર.એફ.ઓ.ની જગ્યાઓ ખાલી હોવાની વિગત સાથે સિંહ ગણતરી સ્થાનિક લોકોના સહકાર સાથે પારદર્શકતા અને વિવાદથી પર રહી પુરી થાય તે સારૃં જરૃરી સરકારનું ધ્યાન દોરેલ છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/59118/153/

No comments: