Thursday, April 1, 2010

ત્રાકુડા સીમમાં કુવામાંથી દીપડાનો મૃતદેહ મળ્યો.

ખાંભા તા.૩૧:

ખાંભા નજીકના ત્રાકુડામાંથી આજે સાંજે એક વાડીના કુવામાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા જંગલ ખાતાના અધિકારીઓએ ધસી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ખાંભા તાલુકાના ત્રાકુડા અને જામકા વચ્ચે આવેલી સીમમાં આજે સાંજે બીજલભાઈ રામભાઈ કોળીની વાડીમાં દીપડાનો મૃત પડયો હોવાની બીજલભાઈએ જંગલખાતાને જાણ કરતા ફોરેસ્ટર રાણપરીયા પોતાના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દીપડાનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢયો હતો. આજથી બે દિવસ પહેલા કુવામાં દીપડો પડી ગયો હતો. આજે સાંજે બીજલભાઈ કુવા પાસે જતા આ અંગેની જાણ થઈ હતી અને તેમણે તુરત જ જંગલ ખાતાને જાણ કરી હતી.જંગલ ખાતાના અધિકારીઓએ દીપડાને લઈ જસાધાર પહોંચ્યા છે જયાં તેનું પીએમ કરાશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173646

No comments: