Thursday, April 1, 2010

પાંજરે પૂરાયેલા દીપડાને છોડાવવા દીપડીએ માથા પછાડયા

વેરાવળ તા.૩૧

વેરાવળ તાલુકાનાં આદ્રી નજીક દીપડાને પકડવા લખમણ વેજાણંદની વાડીએ પાંજરૃ ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે પાંચ વાગ્યે નવ ફુટ લંબાઈનો ખૂંખાર દીપડો પાંજરામાં મૂકાયેલા મારણને ખાવા માટે ધસી આવ્યો હતો. સાથે પ્રિયતમા દીપડી પણ હતી. દીપડાએ પ્રથમ પાંજરામાં ઘૂસીને તરાપ મારતા પાંજરાનો દરવાજો પડી જતાં દીપડો કેદ થઈ ગયો હતો.

કેદ થઈ ગયા પછી દીપડો બહાર ન આવતા દીપડી રઘવાઈ બની ગઈ હતી. દીપડાને કેદમાંથી મૂકત કરાવવા પાંજરાના સળિયાઓને દાંતમાં પકડીને કચકચાવવા લાગી હતી. ઘૂરકિયાઓ કરી પાંજરા સાથે માથા અફડાવવા લાગી હતી.

આ વખતે વન વિભાગના કર્મચારીઓને પાજરૃ કેમ હટાવવું એ સવાલ થયો હતો. પણ, ટ્રેકટરને શરૃ કરીને જોરદાર અવાજો કરીને પાંજરા તરફ દોડાવવામાં આવતા આખરે દીપડીએ સજળ નયને દીપડાને છોડીને વન તરફ વાટ પકડી હતી. વન્ય પ્રેમીઓ કહે છે કે, આ ઘટના નવી નથી. વર્ષો પહેલા ર્પૂિણમા નામની એક સિંહણ સક્કરબાગમાં સિંહને મળવા આવતી હતી. પણ, કેદમાં રહેલા સિંહને મળી ન શકતા એ સળિયા પાસે માથુ અફડાવતી હતી. ઉલ્લેખનીય છેકે, વેરાવળ સુત્રાપાડા પંથકમાં દીપડામાં ભારે ત્રાસ હતો. ૧ર દીપડા અને દીપડીઓ પાંજરે પુરાતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.જોકે, હજુ કેટલાક દીપડાના આટાફેરા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173663

No comments: