Wednesday, April 7, 2010

આંબાનો મોર કાચી કેરી..

આમ્રપુષ્પમ્ અતિસારં કફપિત્તપ્રમેહનુત |

અસૃગ્દુષ્ટિહરં શીતં રુચિકૃદ્ગ્રાહિ વાતલં ||

આમ્ર પુષ્પ એટલે કે આંબાનો મોર અતિસાર, કફ, પિત્ત અને પ્રમેહને મટાડનાર છે. તથા તે લોહીનો બગાડ મટાડનાર, શીતળ, રુચિ ઉપજાવનાર, ઝાડા મટાડનાર અને વાયુ કરનાર છે.

આમ્રંબચાલંકષાયામ્લં રૃચ્યં મારુતપિત્તકૃત |

તરૃણં તુ તદત્યમલં રુક્ષં દોષત્રયાસ્રકૃત ||

આંબાની નાની કાચી કેરી તુરી, ખાટી, રુચિ ઉપજાવનાર અને વાયુ તથા પિત્ત કરનાર છે. તરુણ- મોટી થયેલી કાચી કેરી બહુ જ ખાટી, રુક્ષ અને ત્રણે દોષ તથા લોહીનો બગાડ કરનાર છે. -વૈદ્ય મનુભાઈ ગૌદાની
Source: http://www.sandesh.com/

No comments: