Wednesday, April 7, 2010

વન્ય પ્રાણીને લગતા ગુના હવે સ્થળ પર જ ઉકેલાશે

Tuesday, Apr 6th, 2010, 1:02 am [IST]
Bhaskar News, Junagadh

FSLએ ખાસ પ્રકારની વાન ઝુ ને આપી

સક્કરબાગ ઝુનાં ડાયરેક્ટર વી. જે. રાણાએ કહ્યું કે, એફ.એસ.એલ. દ્વારા આજે સાંજે વાઇલ્ડ લાઇફ ઇન્વેસ્ટીગેશન વાનનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ વાન વાઇલ્ડ લાઇફને લગતા ગુનાઓનો ભેદ ઘટનાસ્થળે જ ઉકેલી શકશે. આ વાનમાં સેન્ટ્રીફયુઝ મશીન, કલેકશન કીટ, ફોટોક્રોમેટોમીટર, સેમ્પલો લાંબા સમય સુધી જાળવવા માટેનું એક ફ્રીઝ, વગેરે સાધનો ઉપલબ્ધ છે.

એક રીતે આ હરતી ફરતી લેબોરેટરીની ગરજ સારશે. જોકે, જયાં વન્ય પ્રાણીને લગતા ગુના બન્યાં હશે ત્યાં સુધી આ વાન લઇ જવાની કામગીરી વનવિભાગ કરશે. પરંતુ ત્યારબાદ ઘટનાસ્થળેથી મળી આવતા માંસનાં ટુકડા, લોહીનાં નમુના, વગેરે એકત્રિત કરી તેનાં પૃથક્કરણની કામગીરી એફએસએલ નો સ્ટાફ જ કરશે.

એટલું જ નહીં ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારની માહિતી પણ સ્થળ ઉપર જ મેળવી શકાશે. અગાઉ આવા નમુનાનો રીપોર્ટ મોડેથી આવતો જે હવે ઘટના સ્થળે જ મળી જશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/06/forest-crime-will-solve-on-the-place-842886.html

No comments: