Sunday, April 18, 2010

ગીરમાં ભિક્ષુકને દીપડાએ ફાડી ખાધો.

Bhakar News, Junagadh
First Published: 00:50[IST](18/04/2010)
Last Updated : 02:20[IST](18/04/2010)


ગીરનાર જંગલના ૩૪૦૦ પગથિયા નજીકના જંગલ વિસ્તારમાં એક શખ્સનો મૃતદેહ પડ્યો હોવાની કોઈએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસના જેઠાભાઈ સહિતનો સ્ટાફ ગીરનારના જંગલમાં પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરતા આ શખ્સ સિંહોર તાલુકાના સોનગઢ ગામનો મહેશ ભીખા રંધાતર પરમાર (ઉ.વ.૩૮)હોવાનું ખુલ્યું હતું.

આ શખ્સ અગાઉ ટ્રેન હેઠળ આવી જતા તેના પગ કપાઈ જવાથી તે વિકલાંગ થઈ ગયો હતો. બાદમાં તે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ભિક્ષાવૃતિ કરતો હતો. આ અંગે તપાસનીશ અધિકારી જેઠાભાઈનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, મહેશ ભીખા વિકલાંગ થઈ જવાથી ભવનાથમાં ભિક્ષા વૃતિ કરતો હતો. છેલ્લા એક-બે દિવસથી તે ભિક્ષાવૃતિ કરતો કરતો ગીરનારના પગથિયા પર પહોંચી ગયો હતો. ગતરાત્રીના બે વાગ્યા આસપાસ તે ૩૪૦૦ પગથિયા પર બેઠો હતો. ત્યારે તેને દીપડો ઉપાડી ગયો હતો તેનું માથુ અને હાથપગ ફાડી ખાધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે મૃતક વિકલાંગ ભિક્ષુકના પરિવારજનોને જાણ કરતા તેઓ જૂનાગઢ આવવા માટે રવાના થયા છે.

શિવરાત્રી મેળામાં પણ ભિક્ષુકને ફાડી ખાધો હતો

ગીરનાર જંગલ વિસ્તારની આસપાસ પણ દીપડાઓની રંજાડ વધતી જાય છે. શિવરાત્રીના મેળામાં પણ એક ભિક્ષુકને દીપડાએ ફાડી ખાધો હતો. તથા અન્નાક્ષેત્રમાં સેવા કરવા આવેલા એક ભાવિક પર દીપડાએ હુમલો કર્યોહતો
Source: http://www.divyabhaskar.co.in/2010/04/18/attack-of-laperd-on-man-killed-883842.html

No comments: