Wednesday, April 7, 2010

સક્કરબાગમાં સિંહણનું મોત

Tuesday, Apr 6th, 2010, 1:04 am [IST]
Bhaskar News, Junagadh

૧૯૮૯માં સક્કરબાગમાં જ જન્મી હતી

જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાં ૨૧ વર્ષ પહેલાં જન્મેલી વૃદ્ધ સિંહણનું ગઈકાલે મૃત્યુ થયું હતું. આ સિંહણે છેલ્લાં કેટલાંક દિવસોથી ખોરાક ઓછો કરી નાંખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ અંગેની વિગતો આપતાં સક્કરબાગ ઝુનાં નિયામક ડીએફઓ વી.જે.રાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા.૪ એપ્રિલે ઝુની ચંદ્રા નામની સિંહણનું મૃત્યુ વૃદ્ધત્વને લીધે થયાનું પણ તેમણે જણાવ્યું હતું.

અને ઉમેર્યુ હતું કે, આ સિંહણે છેલ્લા થોડા દિવસોથી પોતાનાં ખોરાકમાં ઘટાડો કરી નાંખ્યો હતો. ૧૯૮૯માં સક્કરબાગ ઝુ માં જ આ સિંહણનો જન્મ થયો હતો. હાલ સક્કરબાગમાં રાખેલા તમામ સિંહોમાં ચંદ્રાની ઉમર જ સૌથી વધુ ૨૧ વર્ષની હતી એમ પણ તેમણે જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/06/sakkarbag-lioness-dead-842911.html

No comments: