Wednesday, April 7, 2010

ચંદનના લાકડાનો ‘તિલક’ કરવામાં ઉપયોગ થતો’તો..

Wednesday, Apr 7th, 2010, 12:52 am [IST]
Bhaskar News, Junagadh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવતા ભાવિકો છુટક લઈ જતા હોવાની બંને વેપારીઓની કબુલાત

જૂનાગઢના દાતાર પર્વતનાં પગથિયા નજીકના જંગલમાંથી ચંદનનાં લાકડાની ચોરી કરતી પેટલાદની ટોળકી ઝડપાઈ હતી. તેઓએ વડતાલના બે વેપારીઓના નામ આપતા પોલીસે બંનેની ધરપકડ કરી રીમાન્ડ મેળવી પૂછપરછ કરતા વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવતા ભાવિકો પૂનમે પૂજા ચડાવવા આવતા ત્યારે તિલક કરવા માટે છુટક લઈ જતા હોવાની કબુલાત આપી હતી. ચંદનચોરીનાં પ્રકરણને આંતરરાજ્યમાં હોવાની વાતને પોલીસ નકારી રહી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં દાતાર પર્વતના પગથિયા નજીકના જંગલમાંથી ચંદનનાં લાકડાની ચોરી કરતી પેટલાદની મહિલા તથા એક પુરૂષને વનવિભાગે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આ પાંચેય સામે ગુનો નોંધી એક પુરૂષને રિમાન્ડ પર લીધો હતો.

રિમાન્ડ દરમ્યાન તેણે એવું જણાવ્યું હતું કે તે પોતે ચોરાઉ ચંદનનાં લાકડા પેટલાદના વેપારી સુરેશ બુધા અને વિનુ મનસુખ પ્રજાપતિને વેંચતો હોવાની કબુલાત આપતા તાલુકા પીએસઆઈ દેકાવાડીયા સહિતના સ્ટાફે આ બંને વેપારીઓની ધરપકડ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. બંને વેપારીઓએ પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે તેઓ વડતાલ સ્વામિનારાયણ મંદિરની પીસે કંઠી અને અન્ય વસ્તુઓ વેંચે છે તેમાં ચંદનનાં લાકડા પણ વેંચે છે. તેનો મંદિરમાં ચાંદલા કરવામાં ઉપયોગ થાય છે.

ચોરાઉ ચંદનનું લાકડુ વડતાલ દર્શન કરવા આવતા ભાવિકો છૂટક લઈ જતા હતા. આ અંગે પીએસઆઈ દેકાવાડીયાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું. કે તેઓ ચોરાઉ ચંદનનું છુટક વેંચાણ કરતા હોવાની કબુલાત આપે છે. પરંતુ અન્ય રાજ્યોમાં ચંદન જતું હોવાની વાતને સમર્થન આપતા નથી.ગિરનારનાં જંગલમાંથી ચંદનચોરી જતા શખ્સો થોડા સમય પહેલા વનવિભાગની ઝપટે ચઢી ગયા હતા. જો કે, બાદમાં પોલીસે ઉડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/07/chandan-wood-use-for-tilak-846518.html

No comments: