Thursday, October 30, 2014

ઓણસાલ 55 થી વધુ સિંહબાળનો જન્મ થશે.


Bhaskar News, Lilia | Oct 23, 2014, 20:22PM IST
 
- સંકેત: ચોમાસાનો નિર્ધારીત સંવનન કાળ પૂરો થયાને લાંબો સમય વિતતા હવે પ્રસૃતિનો સમય ઢુંકડો
- સિંહણો પ્રસુતિ માટે અવાવરૂ સ્થળે ચાલી જતી હોઇ સાવજો ઓછા નજરે ચઢશે

લીલીયા: ચોમાસામાં સાવજોના સંવનન કાળ દરમીયાન ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. સંવનન કાળ પુરો થયાને લાંબો સમય વિતી ગયો છે ત્યારે હવે ટુંક સમયમાં ગર્ભવતી સિંહણોને બચ્ચાને જન્મ આપવાનો સમય નજીક આવી રહ્યો છે. બહુ ટુકા ગાળામાં સાવજ પરિવારોમાં ઉછળકુદ અને ધીંગામસ્તી કરતા સિંહ બાળ નઝરે પડશે. માત્ર ગીર જંગલમાં જ નહી પરંતુ ગીરની બહાર અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સિંહણો બચ્ચાને જન્મ આપશે તેવું પ્રકૃતિ પ્રેમીઓ માની રહ્યા છે.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચાલુ ચોમાસામાં સંવનન કાળ દરમીયાન ગર્ભવતી બનેલી સિંહણો ખુબ જ ટુંકાગાળામાં નવા બચ્ચાઓને જન્મ આપશે. સિંહણો સામાન્ય રીતે 95 થી 105 દિવસના ગર્ભધારણ બાદ બચ્ચાને જન્મ આપે છે. સંવનનકાળ દરમીયાન ગર્ભવતી બનેલી સિંહણો માટે હવે પ્રસૃતિનો સમય નજીક સરકી રહ્યો છે. ખાસ કરીને શરૂઆતના તબક્કે જ ગર્ભવતી બનેલી સિંહણો સૌથી પહેલા બચ્ચાને જન્મ આપશે. નવેમ્બરથી લઇ ડીસેમ્બરના અંત સુધી બચ્ચાને જન્મ આપવાનો આ સીલસીલો ચાલશે.
સાવજ પરિવારો કુદકેને ભુસકે વધવાના શુભ સંકેતો મળી રહ્યા છે.

સીસીએફ આર.એલ. મીનાએ જણાવ્યુ હતું કે ચાલુ સાલે 55 થી વધુ સિંહબાળનો ઉમેરો થવાની શક્યતા જોવાઇ રહી છે. છેલ્લી ગણતરી પ્રમાણે 411 સિંહ હતાં. હવે આ સંખ્યા 500ને પાર કરી જાય તેવી શક્યતા છે. ગર્ભવતી સિંહણો બચ્ચાને જન્મ આપે પછી તેને શોધવી વન વિભાગ માટે પણ ઘણુ મુશ્કેલ કામ છે. વળી જ્યાં બચ્ચા હોય ત્યાં પહોંચવુ વન વિભાગ માટે પહોંચવુ પણ જોખમભર્યુ છે. આમ છતાં સ્થાનિક કર્મચારી અને જાણકાર લોકોની મદદથી બચ્ચાવાળી સિંહણવાળી જાણ થતી હોય છે. આ માટે આઇડી કોલર પણ હવે ઉપલબ્ધ થશે.

સિંહ દર્શન બનશે મુશ્કેલ-સંદીપ કુમાર

સાસણના ડીએફઓ સંદિપ કુમારે જણાવ્યુ હતું કે બચ્ચાને જન્મ આપવા માટે સિંહણ અવાવરૂ અને સલામત સ્થળ શોધે છે. જેથી દિપડા, જરખ, શીયાળ જેવા પ્રાણીઓ બચ્ચાનો શિકાર ન કરી શકે. વળી ઠંડીના દિવસો પણ આવી રહ્યા છે. ઠંડીના સમયે સાવજો જંગલ બહાર જ્યાં ત્યાં ભમવા ટેવાયેલા નથી. જેથી સામાન્ય સંજોગોમાં જોવા મળતા સાવજો આ દિવસોમાં સરળતાથી નઝરે નહી પડે.
- સંકેત: ચોમાસાનો નિર્ધારીત સંવનન કાળ પૂરો થયાને લાંબો સમય વિતતા હવે પ્રસૃતિનો સમય ઢુંકડો
- સિંહણો પ્રસુતિ માટે અવાવરૂ સ્થળે ચાલી જતી હોઇ સાવજો ઓછા નજરે ચઢશે

લીલીયા: ચોમાસામાં સાવજોના સંવનન કાળ દરમીયાન ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. સંવનન કાળ પુરો થયાને લાંબો સમય વિતી ગયો છે ત્યારે હવે ટુંક સમયમાં ગર્ભવતી સિંહણોને બચ્ચાને જન્મ આપવાનો સમય નજીક આવી રહ્યો છે. બહુ ટુકા ગાળામાં સાવજ પરિવારોમાં ઉછળકુદ અને ધીંગામસ્તી કરતા સિંહ બાળ નઝરે પડશે. માત્ર ગીર જંગલમાં જ નહી પરંતુ ગીરની બહાર અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સિંહણો બચ્ચાને જન્મ આપશે તેવું પ્રકૃતિ પ્રેમીઓ માની રહ્યા છે.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચાલુ ચોમાસામાં સંવનન કાળ દરમીયાન ગર્ભવતી બનેલી સિંહણો ખુબ જ ટુંકાગાળામાં નવા બચ્ચાઓને જન્મ આપશે. સિંહણો સામાન્ય રીતે 95 થી 105 દિવસના ગર્ભધારણ બાદ બચ્ચાને જન્મ આપે છે. સંવનનકાળ દરમીયાન ગર્ભવતી બનેલી સિંહણો માટે હવે પ્રસૃતિનો સમય નજીક સરકી રહ્યો છે. ખાસ કરીને શરૂઆતના તબક્કે જ ગર્ભવતી બનેલી સિંહણો સૌથી પહેલા બચ્ચાને જન્મ આપશે. નવેમ્બરથી લઇ ડીસેમ્બરના અંત સુધી બચ્ચાને જન્મ આપવાનો આ સીલસીલો ચાલશે.
સાવજ પરિવારો કુદકેને ભુસકે વધવાના શુભ સંકેતો મળી રહ્યા છે.

સીસીએફ આર.એલ. મીનાએ જણાવ્યુ હતું કે ચાલુ સાલે 55 થી વધુ સિંહબાળનો ઉમેરો થવાની શક્યતા જોવાઇ રહી છે. છેલ્લી ગણતરી પ્રમાણે 411 સિંહ હતાં. હવે આ સંખ્યા 500ને પાર કરી જાય તેવી શક્યતા છે. ગર્ભવતી સિંહણો બચ્ચાને જન્મ આપે પછી તેને શોધવી વન વિભાગ માટે પણ ઘણુ મુશ્કેલ કામ છે. વળી જ્યાં બચ્ચા હોય ત્યાં પહોંચવુ વન વિભાગ માટે પહોંચવુ પણ જોખમભર્યુ છે. આમ છતાં સ્થાનિક કર્મચારી અને જાણકાર લોકોની મદદથી બચ્ચાવાળી સિંહણવાળી જાણ થતી હોય છે. આ માટે આઇડી કોલર પણ હવે ઉપલબ્ધ થશે.

સિંહ દર્શન બનશે મુશ્કેલ-સંદીપ કુમાર

સાસણના ડીએફઓ સંદિપ કુમારે જણાવ્યુ હતું કે બચ્ચાને જન્મ આપવા માટે સિંહણ અવાવરૂ અને સલામત સ્થળ શોધે છે. જેથી દિપડા, જરખ, શીયાળ જેવા પ્રાણીઓ બચ્ચાનો શિકાર ન કરી શકે. વળી ઠંડીના દિવસો પણ આવી રહ્યા છે. ઠંડીના સમયે સાવજો જંગલ બહાર જ્યાં ત્યાં ભમવા ટેવાયેલા નથી. જેથી સામાન્ય સંજોગોમાં જોવા મળતા સાવજો આ દિવસોમાં સરળતાથી નઝરે નહી પડે.

No comments: