Tuesday, October 7, 2014

સારવારમાં વિધ્ન બનનાર કુદરતે જ રુઝાવ્યા ઘાયલ વનરાજનાં ઘાવ.

Sep 17, 2014 00:00

  • 'ભૂરિયો' ફરી ગર્જના કરવા લાગતાં સિંહ પ્રેમીઓમાં આનંદ
લીલીયા : લીલીયાના બૃહદગીર વિસ્તારમાં વસવાટ કરતો 'ભુરીયો' નામક સિંહને માથાના અને આંખના ભાગે ઈજાઓ થઈ હતી પરંતુ વનખાતાની ૧૮-૧૮ દિવસની સારવાર માટેની મહેનત સફળ ન થતાં અંતે કુદરતી રીતે સિંહના ઘાવ રૃઝાઈ જતાં સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
લીલીયાના બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં કાયમી વસવાટ ધરાવતા સિંહો વસી રહ્યા છે તેમાના આઠેક વર્ષના ભુરીયા નામના એક સિંહને માથાના ભાગે અને આંખ પાસે ગંભીર ઈજાઓ થઈ હતી જે અંગે વનખાતાને વાકેફ કરાયા બાદ ખાતાની વેટનરી તબીબી સાથેની ટીમ છેલ્લા ૧૮-૧૮ દિવસથી સિંહને સારવાર આપવા માટે મશક્કત કરી રહી હતી.
ત્રણ-ત્રણ વખત રેસ્કયુ માટે જંગલમાં ગયા બાદ વરસાદી વાતાવરણના કારણે ટીમને સફળતા મળી ન હતી તેવામાં આ સિંહને કુદરતી રીતે ઘાવ રૃઝાઈ ગયાનું માલુમ પડતાં અંતે વનખાતાએ રેસ્કયુ કામગીરી બંધ કરી દીધી છે.
http://sandesh.com/article.aspx?newsid=2987588

No comments: