Tuesday, October 7, 2014

સાત સિંહોને યુધ્ધનો પડકાર ફેંકી ડાલામથ્થા 'ગબ્બર'એ સિંહણને ઉતારી મોતને ઘાટ..!

Sep 25, 2014
  • સિંહો વચ્ચે ફરી લોહિયાળ ઘર્ષણ ન થાય તે હેતુથી જંગલખાતું સતત વોચમાં
ખાંભા : ખાંભા નજીક આવેલા વાંકિયાના સોનિયા ડુંગર વિસ્તારમાં વસવાટ કરતા સાત સિંહોના જૂથની ટેરીટરીમાં 'ગબ્બર' સિંહે પ્રવેશી, ઘુરકિયા કરી બધા સિંહોને લડાઈ માટે લલકાર કર્યા બાદ અહી જોરદાર સંગ્રામ ખેલાઈ ગયો હતો. આ મહાયુદ્ધમાં ત્રણ વર્ષની સિંહણને જુદી જુદી જગ્યાએ ઈજા પહોંચતા એના રામ રમી ગયા હતા. વનવિભાગને આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે વોચ રાખી શાંતિ સ્થાપી છેે ! જેથી ગબ્બર ફરી હુમલો ન કરે !
    સિંહના પોસ્ટર પર ભલે નો પોલિટિક્સ પ્લીઝ..લખાતું હોય પણ વનરાજો ય રાજકારણીઓની જેમ વિસ્તારવાદી અને સામ્રાજયવાદી હોય છે. જંગલમાં એવો નિયમ હોય છે કે જે વિસ્તારમાં સિંહના માન્ય જૂથનો વસવાટ હોય એમાં અન્ય સિંહ કે જૂથ પ્રવેશી શકતું નથી. જો આવે તો એને સ્વીકારવામાં આવતા નથી અને ધમાસાણ યુદ્ધ ખેલાઈ જાય છે ! ખાંભા નજીક વાંકિયાના સોનિયા ડુંગર વિસ્તારમાં લાંબા સમયથી સાત સિંહોનો વસવાટ હતો અને અહી શાંતિ હતી. આસપાસના વિસ્તારમાં શિકાર મળી જતાં સ્થિર થઈ ગયા હતા. સિંહોમાં આધિપત્ય સ્થાપવા અને સામ્રાજય વધારવાના પણ કોડ હોય છે. કેટલાક વનરાજ એવા હોય છે કે એની હાંકથી અન્ય વનરાજો થર થર ધ્રુજતા હોય છે અને એના તાબામાં રહી જીવન ધપાવતા હોય છે. બળુકો સિંહ અન્ય સિંહ અને સિંહણો પર વર્ચસ્વ જમાવી અને સામ્રાજય વિસ્તારી દેતો હોય છે. આ માટે અગાઉના રાજા મહારાજાઓની જેમ લડાઈ પણ કરી લે છે ! આવી જ ઘટના વાકિયા ગામે બની હતી.
પોતાની મૂળ મિતિયાળા ટેરીટરી છોડીને જંગલમાં ગૂંડાગીરી કરતો ગબ્બર ડાલામથ્થો સિંહ અહી આવી ચડયો હતો અને સાત સિંહોની સામે યુદ્ધ જાહેર કરી ઘુરકિયા કરી લલકારવા લાગ્યો હતો ! સામે સાત સિંહોનું જૂથ લડાઈ પહેલા યુદ્ધવિરામ કે સંધિ સ્વીકારી લે એવું કાયર ન હતુ. આખરે,મહાયુદ્ધ શરૃ થઈ ગયું હતુ જેના કારણે ડુંગર વિસ્તાર ગાજી ઉઠયો હતો. આ દરમિયાન આગંતૂક સિંહે સાત સિંહોના જૂથ પૈકી ત્રણ વર્ષની ઉમરની સિંહણને મોઢામાં પકડી લીધી હતી એને ગળાના ભાગે તેમજ માથામાં તેમજ પાંસડીમાં બચકા ભરીને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સિંહણ વિરાંગના બનીને લડતા લડતા શહિદ થઈ ગઈ હતી. જેનો મૃતદેહ વિનુભાઈ પરસોતમભાઈ સોડવડિયાની વાડીમાંથી પડયો હતો આ અંગે ગામના સરપંચે વનવિભાગને જાણ કરતા આરએફઓ ઝાલા અને ફોરેસ્ટર હરદિપ વાળાએ ત્યાં જઈ મૃતદેહને પ્રથમ ખાંભા અને એ પછી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઈ ગયા હતા. આ ઉપરાંત ડુંગર વિસ્તારમાં ફરી ે છ સિંહના જૂથ વચ્ચે લડાઈ ન જામે એ માટે વોચ ગોઠવી છે.
  • અગાઉ પણ ગબ્બર પરાક્રમ કરી ચૂકયો છે !
રાજકોટઃ અગાઉ જુન માસમાં મીતીયાળા રેન્જમાં સામ્રાજયવાદી ડાલામથ્થા 'ગબ્બર' સિંહે અગાઉં બે સિંહના રામ રમાડી દીધા હતા. .સાવરકુંડલાના મીતીયાળા રેન્જમાં 'ગબ્બર ડાલામથ્થાએ ગત તા.૨૪મી જુનએ એક સિંહણ તથા ત્યારબાદ મીતીયાળા નજીક એક સિંહબાળના રામ રમાડી દીધા હતા. અગાઉ આ જ સિંહે બે સિંહને મારી નાંખ્યા હોવાનું જંગલખાતું જણાવી રહ્યું છે. 'ગબ્બર'ના આતંકથી જંગલના અન્ય સિંહો પણ ભયભીત થઈ ગયા હતા. આખરે ગબ્બર સિંહ લાપાળા ધારી નજીક આવી ચડયો હતો.. અને વેટરનરી ડોકટરે તુરત જ જે તે વખતે ગન દ્વારા ટ્રાન્કવીલાઇઝીંગ ઈન્જેકશન ફેંકી ગબ્બરને બેભાન કરી દીધો હતો.
  • અત્યાર સુધી આવો ખૂંખાર સિંહ નથી જોયો ઃ ડીએફઓ
રાજકોટ ઃ ડીએફઓ અંશુમાન શર્માએ જણાવ્યુ હતુ કે આ ખૂંખાર અને વાઇલ્ડ બની ગયેલા સિંહે દસ દિવસમાં બે-બે સિંહોને ઈનફાઈટમાં મારી નાંખ્યા છે. અત્યાર સુધીમાં આવો કોઈ સિંહ મેં નથી જોયો.હતી. એસસમેન્ટ સુધારણામાં તે ઉપયોગી સાબિત થયા હતા.

No comments: