Tuesday, October 7, 2014

વિસાવદરના લેરીયા ગામે નવ ફુટની દિવાલ કુદી દિપડાએ મારણ કર્યુ.


  •  ઘટીંયાણા ગામે વાડીએ બાંધેલ ભેસનો શિકાર કરતા ત્રણ વનરાજાઓ
વિસાવદર : વિસાવદરના લેરિયા ગામે પાદરમાં એક મકાનની નવ ફુટ ઉંચી દિવાલ કુદીને દિપડાને બે વર્ષના વાછરડાનો શિકાર કર્યાે હતો જયારે ઘટીંયાણ ગામે પણ ત્રણ વનરાજાઓએ ત્રાટકીને વાડીએ બાંધેલ ભેસનો શિકાર કરી નાખતા નાના એવા ગામમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે અને વન્ય પ્રાણીઓને દુર જંગલ વિસ્તારમાં ખદેડવા માટે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે
વિસાવદરના લેરિયા ગામમાં ગત મોડીરાત્રીના ગામના પાદરમાં રહેતા રતિભાઈ લીંબાભાઈ ગોંડલીયાએ તેમના ઘર આસપાસ વન્ય પ્રાણીઓથી પાલતુ પશુઓને બચાવવા માટે નવ ફુટ ઉંચી દિવાલ બનાવવામાં આવી હતી જેથી કરીને વન્ય પ્રાણીઓ અંદર આવી ન શકી પણ ગતરાત્રે અચાનક જંગલ વિસ્તારમાંથી દિપડો આવી ચડયો હતો અને નવ ફુટ ઉંચી દિવાલ કુદીને બે વર્ષના વાછરડાનું મારણ કરી મીજબાની માણી હતી.દરમિયાનમાં રતિભાઈ જાગી જતા તેઓ દ્વારા હાકલા-પડકારા કરવામાં આવતા દિપડો મારણ મુકીને નાસી ગયો હતો,અન્ય એક બનાવમાં વિસાવદરના ઘેટીયાણા ગામે સીમમાં એક વાડીમાલિક દ્વારા તેમની વાડીમાં ભેંસ બાંધી હતી અને સાથે નાની પાડીઓ પણ હતી ત્યારે ગતરાત્રીના અચાનક ત્રણ સિંહોએ આવી ચડી ભેંસનો શિકાર કર્યાે હતો અને એક પાડીને પણ ગંભીર ઈજા કરી હતી બાદમાં અન્ય એક પાડીનું પણ મારણ કર્યું હતું.
http://sandesh.com/article.aspx?newsid=2987173

No comments: