Tuesday, October 7, 2014

સિંહોના મારણની જાણ કરનાર ખેડૂતોને વનવિભાગની કનડગત.

Sep 21, 2014 00:00
  • માલઢોરના શિકારની ફરિયાદ કર્યા બાદ અરજદારને વનકચેરીના ધક્કા ખવડાવાય છે
વિસાવદર : વિસાવદર તાલુકાના મોટાભાગના ગામડાઓ ગીરની બોર્ડર પર આવેલા હોવાથી વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના માલ-ઢોરનું મારણ કરવામાં આવે ત્યારે વનવિભાગ દ્વારા મારણનો કેસ કરવામાં ખેડૂતોને ખૂબ જ કનડગત કરવામાં આવી રહી હોવાની વનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઘરમાં, ખેતરોમાં બાંધેલ માલ-ઢોરનો શીકાર કરવામાં આવે ત્યારબાદ ખેડૂત દ્વારા વનવિભાગની કચેરીએ જાણ કરવામાં આવ્યા બાદ મારણ કેસનું ફોર્મ ભરવા માટે ખેડૂતને રેન્જ ઓફિસે ધક્કો થાય છે. અને ઓફિસે આવ્યા બાદ ફોર્મ પણ રાખવામાં આવતું નથી.
એક ફોર્મ આપે તેની ઝેરોક્ષ ખેડૂતને પોતાના ખર્ર્ચે કરાવી લેવાની રહે છે. ઝેરોક્ષ કરાવી ફોર્મ પરત વનવિભાગની ઓફિસમાં પરત કરવાનું રહે છે. આ બાબતે તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઇ વીરોલીયાએ વનમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને થતી કનડગત બંધ કરાવવા માંગ કરી છે.
http://sandesh.com/article.aspx?newsid=2989183

No comments: