Thursday, October 30, 2014

રાજુલા-સાવરકુંડલા વચ્ચે રેલવે ટ્રેક પર ફેન્સિંગ, અંડરપાસ મંજૂર.

Oct 22, 2014 23:58

  • ગાંધીનગરમાં રેલવે, ફોરેસ્ટ, પોર્ટ વચ્ચેની બેઠક આખરે સફળ
અમરેલી : અમરેલી જિલ્લામાં એશિયાટીક સિંહોના ટ્રુેન નીચે કપાઈ જવાથી થતાં અકાળે મોતને અટકાવવા મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલી રેલ્વે, ફોરેસ્ટ, પોર્ટ વચ્ચેની બેઠકમાં ફેન્સિંગ, અંડરપાસ સહિતના કામને મંજૂરી આપવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં રાજુલા-સાવરકુંડલા વચ્ચે સુમસામ રેલ્વે ટ્રેક ઉપર સિંહી અને તેના બચ્ચાં આંટા મારતાં હોય છાશવારે માલગાડીની ઝપટે ચઢી કપાઈ જતાં તેમના મોત થાય છે. સિંહોની સલામતી અંગે અનેક સવાલો ઉઠયા હતા. અગાઉ જે આયોજન વિચારાયાં હતા તે અંગે મંત્રણાઓ પૂર્ણ સફળ થઈ શકી ન હતી.
દરમિયાન આજે ગાંધીનગર ખાતે રાજય સરકારના અગ્રસચીવ સી.કે.તનેજા, વસ્ટર્ન રેલ્વેના મુંબઈ ખાતેના જનરલ મેનેજર, ભાવનગર રેલ્વે ડિવીઝનના અધિકારી, પોર્ટ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ સંયુકત્ત બેઠકમાં રાજુલા-સાવરકુંડલા વચ્ચે રેલ્વે ટ્રેક પર ફેન્સિંગ, અંડરપાસનું કામ મંજૂર કરાતાં બેઠક સફળ રહી હતી. જરૃરીયાત મુજબ અંડરપાસ અને ઓવરબ્રિજ મૂકવામાં આવશે. વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલીંગ કરશે. દિવાળી બાદ કામગીરી શરૃ કરી દેવામાં આવશે. ધરોહર સમાન સિંહોના અકાળે મોત અટકાવવા નક્કર પગલાં લેવાયા હતા.
  • ૧ વર્ષમાં ૧૦ સિંહ ટ્રેન હેઠળ કપાયા
રાજુલા-કુંડલા વચ્ચે રેલ્વે ટ્રેક પર ૧ વર્ષમાં ૧૦ સિંહ ટ્રેન હેઠળ કપાયા છે. ભેરાઈ નજીક આખો સિંહ પરિવાર કચડાઈ મર્યો હતો, આવા બનાવો સતત બનતાં રહ્યા છે.

No comments: