Tuesday, October 7, 2014

લીલીયા બૃહદ (ગીર) પંથકમાં પ્રાણીઓનો બેરોકટોક શિકાર.


Jul 31, 2014 00:08


  • લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન તંત્રને રજૂઆત
લીલીયા : લીલીયા બૃહદગીર વિસ્તારમાં નિલગાય, સસલા સહિતના વન્ય પ્રાણીઓનો શિકાર થતો હોવાનું જણાવી, તે અટકાવવા માટે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખે વન વિભાગને રજુઆત કરી છે.
લીલીયાના આંબા, કણકોટ, શેઢાવદર, બવાડી, ઈંગોરાળા, જુના સાવર, હરિપર, હાથીગઢ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં નિલગાયનો વસવાટ હોય તેનો શીકારીઓ દ્વારા શિકાર કરવામાં આવે રહ્યો છે, તેવી લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ મનોજ જોષીએ રજુઆત કરેલ છે. બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં હરણા અને સિંહોનો પણ વસવાટ છે. તે શિકારીનો ભોગ બને તે પહેલા આ વિસતારના ગામોમાં વિના રોકટોક ચાલતી શિકાર પ્રવૃતિ તાકીદે અટકાવવા જવાબદાર વન તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૃર બન્યું છે. આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે ભેંસવડી, લોકો, આંબા સહિતના વિસ્તારમાં શીકારીઓ જાળ બાધી સસલાનો શિકાર કરે છે. અગાઉ અનેકવાર સસલા પકડવાની જાળ વન વિભાગને હાથ લાગી છે, પણ જાળ પાથરનાર હાથ લાગેલ નથી. આ બાબત વન તંત્રની કાર્ય પધ્ધતિ સામે પણ શંકા સેવાય રહી હોવાનું તેમણે જણાવ્યું છે.

No comments: