Thursday, October 30, 2014

ગીરજંગલમાં સિંહ દર્શનનો ઘસારો : પ્રવાસીઓ લૂંટાયા.

Bhaskar News, Talala | Oct 27, 2014, 01:01AM IST
ગીરજંગલમાં સિંહ દર્શનનો ઘસારો : પ્રવાસીઓ લૂંટાયા
-ખાણી-પીણીમાં બેફામ ભાવ
-
જાયે તો જાયે કહાં |ખૂલ્લા ખેતરોમાં પ્રવાસીઓએ રાત વિતાવી

તાલાલા: સિંહ દર્શન માટે દિવાળીનાં તહેવરોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ચક્કાજામની સ્થિતી બની ગઇ હતી. અભ્યારણમાં નિયત મુજબ જ પરમીટો મેળવી શકનાર પ્રવાસીઓ અભ્યારણમાં સિંહ દર્શન માટે ગયા હતા. જ્યારે દેવળીયા સફારી પાર્ક ખાતે પરમીટો ન મેળવી શકનારા પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય દેવળીયામાં સવારથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિંહદર્શન માટે વનતંત્રની બસો ટ્રીપો કરતી હતી.
 
સાસણ સહિતમાં હોટલ, રીસોર્ટ, ગેસ્ટહાઉસ, ફાર્મ હાઉસો હાઉસફૂલ થતાં બુકીંગ વગર પ્રવાસીઓએ સાસણમાં રહેણાંક મકાનોમાં પેંઇગગેસ્ટ તરીકે રોકાયા હતા. ઘણાંએ ખૂલ્લા ખેતરોમાં રાતો વિતાવી ગીરની મજા માણી હતી. ભારે ઘસારા વચ્ચે ખાણીપીણી, આઇસ્ક્રીમ, વેફર્સ, મીનરલ વોટર સહિત હોટલોમાં ઉઘાડી લૂંટ ચલાવાઇ હોવાની ફરિયાદો ઉઠતી હતી.

No comments: